ભરૂચ : કે.જે.પોલીટેક્નિક કોલેજ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

ભરૂચની કે.જે. પોલિટેકનિક કોલેજના એન.એસ.એસ.સેલ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો

New Update

ભરૂચમાં મેડિકલ કેમ્પ યોજાયો

કે.જે.પોલીટેકનિક કોલેજ ખાતે આયોજન

ડો.કિરણ પટેલ મેડિકલ કોલેજનો સહયોગ સાંપડ્યો

500થી વધુ વિદ્યાર્થીઓએ લીધો લાભ

કોલેજ પરિવાર રહ્યો ઉપસ્થિત

ભરૂચની કે.જે. પોલિટેકનિક કોલેજના એન.એસ.એસ.સેલ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો
ભરૂચની કે જે પોલિટેકનિક કોલેજના એન.એસ.એસ. સેલ તેમજ ડો.કિરણ પટેલ મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે કોલેજ ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંખના રોગ, ચામડીના રોગ તેમજ જનરલ હેલ્થ ચેકઅપ કરાયું હતું.આ કેમ્પમાં તજજ્ઞ તબીબોએ સેવા આપી હતી. લગભગ 500 જેટલા વિદ્યાર્થીઓએ આ મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો. જેમાં ડો. કિરણ સી. પટેલ મેડિકલ કોલેજના મેડિકલ સુપ્રીટેન્ડન્ટ ડો.આર.કે.બંસલ સિનિયર મેડિકલ ઓફીસર અભિનવ શર્મા,મેડિકલ એડમીનીસ્ટ્રેટર ડો.ગોપીકા મેખીયા અને કોલેજ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો
Read the Next Article

ભરૂચ : નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ,800થી વધુ બહેનોએ લીધો લાભ

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

New Update
  • સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર યોજાઈ શિબિર

  • નિકોરા આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે યોજાઈ શિબિર

  • રાજપૂત સમાજની દીકરીઓ માટે કરાયું આયોજન

  • 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

  • રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘના હોદેદારોનું કરાયું સન્માન

ભરૂચના નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ હતી. જેમાં800થી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો.

ભરૂચ તાલુકાના નિકોરા ગામેમાં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં800બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે13વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છેમેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં800થી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં પરિવર્તન માટેની હાંકલ  કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.