/connect-gujarat/media/media_files/2024/12/11/RGtn1qycabWd0dxWxoWP.jpg)
ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના અતિ પૌરાણિક અને ધાર્મિક રીતે ખૂબ મહત્વ ધરાવતા પવિત્ર સ્થાનો અને તેના વિકાસ માટેના ભવિષ્યના આયોજનો અંગે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાય હતી.
આ બેઠકમાં રજૂ કરવામાં આવેલા વિવિધ એજન્ડાઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ઉપરાંત નર્મદા પરિક્રમાવાસીઓને પ્રાથમિક સુવિધા મળી રહે તે અર્થે વમલેશ્વર પ્રોજેક્ટ, કબીરવડ, અંગારેશ્વર, મંગલેશ્વર અને શુક્લતિર્થના વિકાસ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન બેઠકમાં ઉપસ્થિત સૌકોઈએ નિહાળ્યું હતું.
આ તકે, જિલ્લાના પ્રવાસન વિકાસ કાર્યોને અગ્રતા આપી નિયમાનુસાર અને નિયત સમય મર્યાદામાં તમામ કામો પૂર્ણ કરવા તથા જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાતા લોકપ્રશ્નોનું અગ્રીમતાના ધોરણે ત્વરિતપણે નિરાકરણ લાવવા અંગે બેઠકમાં ઉપસ્થિત વિભાગોના અમલીકરણ અધિકારીઓને જિલ્લા કલેક્ટરએ તાકિદ કરી જરૂરી સૂચનો આપી માર્ગદર્શન આપ્યું હતું.
સમગ્ર બેઠક દરમ્યાન વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામી, ઝઘડીયાના રિતેશ વસાવા, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, જિલ્લા નોડલ અધિકારી, આર્કિટેક્ટ અને અમલીકરણ અધિકારી તેમજ મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.