અંકલેશ્વર-વાલીયા મુખ્ય માર્ગની દયનિય હાલતને લઈને AAP દ્વારા મામલતદાર કચેરીએ આવેદન પાઠવાયું...

અત્યંત જર્જરિત માર્ગની હાલત સામે આમ આદમી પાર્ટી અંકલેશ્વર શહેર પ્રમુખ નિતીન વસાવાએ અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી...

New Update
  • અંકલેશ્વર-વાલીયા મુખ્ય માર્ગની દયનિય હાલત

  • આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરવામાં આવી

  • મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું

  • વહેલી તકે બિસ્માર માર્ગના સમારકામની માંગ કરી

  • સમારકામ હાથ નહીં ધરાય તો આંદોલનની ચીમકી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-વાલીયા મુખ્ય માર્ગની દયનિય હાલતને લઈને અંકલેશ્વર આમ આદમી પાર્ટી શહેર પ્રમુખની આગેવાનીમાં મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી વાલિયાને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી ખખડધજ હાલતમાં છે. જેના કારણે અનેક વાહનચાલકો અને રાહદારીઓને દૈનિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં આ જ માર્ગ પર થયેલા માર્ગ અકસ્માતમાં એક રાહદારીનું કરૂણ મોત થતાં સ્થાનિકોમાં રોષની લાગણી છવાઈ હતીત્યારે અત્યંત જર્જરિત માર્ગની હાલત સામે આમ આદમી પાર્ટી અંકલેશ્વર શહેર પ્રમુખ નિતીન વસાવાએ અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. પાઠવાયેલ આવેદનમાં તાકીદે બિસ્માર રસ્તાનું સમારકામ શરૂ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.

નિતીન વસાવાએ જણાવ્યું હતું કે, "અંકલેશ્વર-વાલિયા રોડ પર અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. અનેકવાર લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. સરકાર તરફથી કોઈ પગલાં લેવામાં આવતાં નથીજે લોકોને જીવના જોખમમાં નાખે છે." જો આગામી 10 દિવસમાં માર્ગનું સમારકામ શરૂ નહીં થાયતો આ મામલે આંદોલન શરૂ કરવાની અંકલેશ્વર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખે ચીમકી ઉચ્ચારી છે.

Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.