વસંત પંચમીના વૈભવ વચ્ચે ભૃગુઋુષિની ધરાનો આજે સ્થાપના દિવસ, ભાંગ્યું ભાંગ્યું ભરૂચ બન્યું વૈભવી ભરૂચ

ભાંગ્યુ ભાંગ્યું તોય' ભરૂચ તરીકે ઓળખાતા ભરૂચ શહેરનો આજે વસંત પંચમીના દિવસે સ્થાપના દિવસ છે ત્યારે શહેરના ભૃગુૠષિ મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

New Update
  • આજે વસંત પંચમીનો પાવન અવસર

  • આજના દિવસે ભરૂચ નગરની થઈ હતી સ્થાપના

  • ભૃગુરુષીએ કરી હતી સ્થાપના

  • કાશી બાદ બીજા નંબરનું પ્રાચીન શહેર

  • ભાર્ગવ સમસ્ત પંચ દ્વારા ઉજવણી કરાય

ભાંગ્યુ ભાંગ્યું તોય' ભરૂચ તરીકે ઓળખાતા ભરૂચ શહેરનો આજે વસંત પંચમીના દિવસે સ્થાપના દિવસ છે ત્યારે શહેરના ભૃગુૠષિ મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
નર્મદા પુરાણના રેવાખંડમાં જણાવ્યા અનુસાર, નંદન સંવત્સરમાં માઘ સુદ પાંચમના દિવસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રનો ચંદ્ર અને કુંભ રાશિનો સુર્ય હતો. તે દિવસે નર્મદાના ઉત્તર કિનારા ઉપર કૂર્મની પીઠ ઉપર વિશ્વકર્માનું સ્મરણ કરીને મોટા આનંદથી ભુગૃઋુષિએ મોટું નગર વસાવ્યું હતું. કૂર્મ (કાચબા)ની પીઠ ઉપર આ નગરની સ્થાપના કરવામાં આવી હોવાથી આ નગર ભૃગૃકચ્છના નામથી ઓળખાવા લાગ્યું હતું. જોકે, પૂર્વ અને પશ્ચિમનાં દેશો વચ્ચે તેજાના અને રેશમનાં વહાણમાર્ગમાં અગત્યનાં વેપારી મથક તરીકે ટકી રહ્યું હોવાથી ઇતિહાસમાં તે અનેકવિધ નામોથી જાણીતું છે, જેમકે ભરાકચ્છ, ભૃગુકચ્છ, બ્રૉચ અને ભરૂચ. બ્રિટિશરો અનેક ભારતીય શબ્દોનો ઉચ્ચાર સ્પષ્ટપણે નહોતા કરી શક્તાં અને માટે તેમણે મૂળ નામોને પોતે ઉચ્ચારી શકે તેવા નામોથી ઓળખવાનું રાખ્યું હતું.મહર્ષિ ભૃગુ કે, જેમના નામ ઉપરથી ભરૂચ શહેરનું નામ પડયું છે. ભૃગુઋુષિ ત્રિકાળ જ્ઞાની અને વેદના જાણકાર હતા. તેમણે ભૃગુ સંહિતાની રચના કરી છે.
આજરોજ વસંત પંચમી નિમિત્તે ભૃગુઋષિના પ્રાગટ્ય દિવસની શહેરના ભાર્ગવ સમસ્ત પંચ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ભૃગુઋષિના મંદિર ખાતે લઘુરુ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા આ સાથે જ શહેરના સ્ટેચ્યુ પાર્ક સ્થિત ભૃગુઋષિની પ્રતિમાને પુષ્પાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી
Read the Next Article

ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે

એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.