/connect-gujarat/media/media_files/2025/01/11/YMPy2nlectcT1krIfhdu.jpg)
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ખરચી ગામમાંથી પસાર થતાં SOU માર્ગ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં 8 વર્ષીય બાળક પર ટ્રકના તોતિંગ પૈડાં ફરી વળતાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાંથી પસાર થતા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર થતાં અકસ્માતોની સંખ્યામાં મોટો વધારો થઇ રહ્યો છે. આ ઉપરાંત GIDC વિસ્તાર સહિતના અન્ય ગ્રામ્ય માર્ગો પણ વધતા જતા અકસ્માતોને લઇને અકસ્માત ઝોન બન્યા છે, ત્યારે અંકલેશ્વર-ઝઘડિયા વચ્ચે ધોરીમાર્ગ પર ખરચી ગામ નજીક ટ્રકની અડફેટે 8 વર્ષીય બાળકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, ખરચી ભિલવાડા ગામના જયંતીભાઇ બચુભાઈ વસાવાનો 8 વર્ષીય પુત્ર ઓમકુમાર રોડ ઓળંગતો હતો, તે દરમિયાન પુરઝડપે આવી રહેલ ટ્રકના ચાલકે ઓમકુમારને અડફેટમાં લેતા માથા અને હાથ-પગમાં ગંભીર ઇજાના પગલે તેનું ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પર જ વાહન મુકીને નાસી ગયો હતો.
ટના સંદર્ભે મૃતકના પિતા જયંતીભાઇ વસાવાએ ઝઘડીયા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ઝઘડીયા તાલુકામાં બેફામ દોડતા મોટા વાહનોને લઇને અકસ્માતો વધી રહ્યા છે, ત્યારે નિયમ ભંગ કરી દોડતા આવા વાહનો પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.