અંકલેશ્વરનું વૃદ્ધ દંપતી જીવનના સંઘર્ષને સ્વીકારીને જિંદગીને ચેતનવંતી રાખવાની અન્યોને આપે છે પ્રેરણા...

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં છેલ્લા ઘણા સમયથી ભાણાભાઈ વસાવા તેમના વૃદ્ધ પત્ની કાંતાબેન સાથે ભાડુતી મકાનમાં રહે છે. તેમને 2 પુત્રમાંથી એક તેની પત્ની સાથે અલગ રહે છે

New Update
  • જીવનના સંઘર્ષને સ્વીકારીને કરો સામનો

  • વૃદ્ધ દંપતી બન્યું અન્ય અન્યો માટે પ્રેરણારૂપ

  • ઘડપણમાં પોતાની જ હિંમત બની સહારો

  • દંપતી માટે શરબતની લારી છે આર્થિક સહારો

  • ઢળતી ઉંમરે પણ જીવનને રાખ્યું છે ચેતનવંતુ

"ઘડપણ" એટલે અશકત શરીરનમતી ભીંજાતી આંખો તો પણ સંઘર્ષમય જીવનને બાથ ભીડીને જીવવાની હિંમત... પરિવારનો માળો પિંખાય પરંતુ દંપતી અલગ ન થાયઢળતી ઉંમરના આધારે જીવનને ધબકતું રાખવુંએ પણ એક પડકાર જનક પરિસ્થિતિ કહી શકાય. જોકેતેમ છતાં કોઈ પણ પડકારને હિંમતભેર સ્વીકારીને તેની સામે ઝઝૂમતા લડી લેવાની ત્રેવડ રાખતું અંકલેશ્વરનું વૃદ્ધ દંપતી અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યું છે.

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં છેલ્લા ઘણા સમયથી ભાણાભાઈ વસાવા તેમના વૃદ્ધ પત્ની કાંતાબેન સાથે ભાડુતી મકાનમાં રહે છે. તેમને 2 પુત્રમાંથી એક તેની પત્ની સાથે અલગ રહે છેજ્યારે બીજા પુત્રનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતા વૃદ્ધ દંપતીએ એકલા જ સંઘર્ષ કરવાનો વખત આવ્યો છે. પરંતુ એકલા રહેવા માટે કેબે ટંક ભોજન માટે પણ આર્થિક પાસું થોડું હોવું જરૂરી છેત્યારે એકલા રહેતા હોવાથી અને આવકનું કોઈ સાધન ન હોવાથી આ વૃદ્ધ દંપતીએ લીંબુ શરબત વેચવાનું નક્કી કર્યું. આ વૃદ્ધ દંપતી દરરોજ સવારે વહેલા ઉઠીને બધી તૈયારી કરી નિયમિત તેમના સ્થળ પર આવી જાય છે.

અંકલેશ્વર એસએ મોટર પાસે શરબતની લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. છેલ્લા 3 વર્ષથી લીંબુ પાણી વેચી દિવસમાં 400થી 500 રૂપિયાનો વકરો કરી લે છે. જેમાંથી સામનનો ખર્ચ કાઢતા અંદાજે 300 રૂપિયાની આસપાસ વળતર મળી રહે છે. કાંતાબેને નમ્ર આંખમાંથી નીકળતા આંસુઓને લૂછતાં જણાવ્યું હતું કેજેટલું કમાઈએ છીએ એટલું તો મકાનના ભાડામાં જ ખર્ચ થાય છે. કોઈ દિવસ તો એક ટાઈમનું ભોજન પણ મળતું નથીતો ક્યારેક ચટણી રોટલો ખાઈને પણ પેટની ભૂખ મટાડવી પડે છે. સાંભળનાર અને જોનારને કદાચ આ બાબત સામાન્ય લાગશે. પરંતુ સંઘર્ષથી હારીને માથું કૂટતા લોકો માટે આ દંપતી પ્રેરણારૂપ સાબિત થઇ રહ્યં  છે.

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.