અંકલેશ્વર: વિદેશી દારૂ ભરેલ પિક-અપ સાથે 2 બુટલેગરની ધરપકડ,

અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે પ્રતિન ચોકડીથી ભરૂચ તરફ માર્ગ ઉપરથી વિદેશી દારૂ ભરેલ ટાટા મેજિકમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ૩.૯૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો

New Update
અંકલેશ્વર બી ડિવિઝન પોલોસની કાર્યવાહી
વિદેશી દારૂ ભરેલ પિકઅપ ઝડપી પાડ્યો
પોલીસે 2 આરોપીની કરી ધરપકડ
રૂ.3.97 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
2 બુટલેગર વોન્ટેડ
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે પ્રતિન ચોકડીથી ભરૂચ તરફ માર્ગ ઉપરથી વિદેશી દારૂ ભરેલ ટાટા મેજિકમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ૩.૯૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સુરત તરફથી ટાટા મેજિક ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી બે ઈસમો ગોલ્ડન બ્રીજ વાળા માર્ગ તરફ થઇ ભરૂચ જનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે પ્રતિન ચોકડીથી ભરૂચ તરફ માર્ગ ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળું વાહન આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૮૬૪ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૮૬ હજારનો દારૂ અને બે ફોન તેમજ ટાટા મેજિક મળી કુલ ૩.૯૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.અને ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ મહાદેવ નગરમાં રહેતો સ્વપ્નીલ ઉર્ફે સોનું અજય ચૌહાણ અને પ્રશાંતકુમાર ઠાકોર પરમારને ઝડપી પાડ્યો હતો.જયારે વિદેશી દારૂનો જથ્થો આપનાર સુરતના ઇમરાન નામના ઇસમ સહીત જથ્થો મંગાવનાર તિલકકુમાર પટેલને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ : અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે મોત, પોલીસે તપાસ આરંભી...

કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતા, જેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું

New Update
  • અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

  • કાર ચાલકે બાઈક સવાર યુયાવ્કને અડફેટે લેતા કરૂણ મોત

  • સ્થળ પર પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું

  • પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી ઝઘડિયાને જોડતા મુખ્ય માર્ગની કામગીરી ચાલી રહી છે. આ વચ્ચે ઉછાલી નજીક નાના પુલીયા તેમજ એપ્રોચ રોડની ચાલતી કામગીરીના પગલે માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. એટલું જ નહીંદઢાલ બ્રિજ પર પડેલા મસમોટા ખાડા અકસ્માતનું નિમિત્ત બની રહ્યા છે.

તેવામાં આજરોજ અંકલેશ્વરના ઉછાલી ગામ નજીક ભારત પેટ્રોલિયમ પાસે ઉછાલી ગામના રણુજા ફાર્મમાં રહેતા 36 વર્ષીય શ્રમિક રાજુભાઈ ચખલીયા બાઈક પર ઉછાલી નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન કાર ચાલકે બેફિકરાઈ ભરી રીતે ખાડે ગયેલા રોડ પર પણ પૂરપાટ આવતા બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતાજેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં જ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતાજ્યાં પરિવારજનો હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની છવાય હતી. ઘટના અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલેખનીય છે કેમાર્ગના નવીનીકરણ વચ્ચે વરસાદના પગલે માર્ગ વધુ બિસ્માર બન્યો છેજેથી વાહન ચાલકો ખાડામાં પટકાઈને અકસ્માતને ભેટી રહ્યા છેત્યારે મંથર ગતિએ ચાલતા રોડના નવીનીકરણ અને પુલની કામગીરીને લઇ લોકોમાં રોષ ફેલાયો છે.