અંકલેશ્વર: કોસમડી હાટ બજારમાંથી મહિલાએ પહેરેલ 2 તોલાની સોનાની ચેઇનની ચોરી, GIDC પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વરના કોસમડી હાટ બજારમાં ખરીદી કરવા ગયેલ મહિલાના ગળામાં  અંદાજીત 2 લાખના સોનાની ચેઇન ગઠિયા ચોરી કરી ફરાર થઈ ગયા હતા

New Update
  • અંકલેશ્વરના કોસમડીનો બનાવ

  • શનિવારે ભરાય છે હાટ બજાર

  • બજારમાં મહિલા ખરીદી કરવા ગયા હતા

  • મહિલાની 2 તોલાની સોનાની ચેઇનની ચોરી

  • જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી 

અંકલેશ્વરના કોસમડી હાટ બજારમાં ખરીદી કરવા ગયેલ મહિલાના ગળામાં  અંદાજીત 2 લાખના સોનાની ચેઇન ગઠિયા ચોરી કરી ફરાર થઈ ગયા હતા
અંકલેશ્વરના કોસમડી નજીક હાટ બજાર ભરાય છે.દર શનિવારે ભરાતા હાટ બજારમાં લોકો જીવન જરૂરિયાતની ખરીદી કરવા જતા હોય છે ત્યારે અંકલેશ્વરની ગાર્ડન સિટી ખાતે રહેતા આનંદ સોલંકીની પત્ની ગતરોજ કોસમડી ગામના ગોપાલ નગર પાસે ભરાતી શનિવારી હાટ બજારમાં ખરીદી કરવા ગયા હતા તે દરમિયાન મહિલાના ગળામાં રહેલ અંદાજીત 2 લાખની કિંમતની સોનાની ચેઇન તોડી ગઠિયો ફરાર થઇ ગયો હતો.આ  ચેઇન સ્નેચિંગ અંગે આનંદ સોલંકીએ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકે  અરજી આપી છે જેના આધારે જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી છે. 
Read the Next Article

ભરૂચ: અષાઢી બીજે 6 સ્થળોએથી નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, પોલીસ ડ્રોન કેમેરાથી રાખશે નજર

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે અષાઢી બીજના

New Update

ભરૂચમાં આવતીકાલે કરવામાં આવ્યું આયોજન

6 સ્થળોએથી રથયાત્રાનું આયોજન

પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત

ડ્રોન કેમેરાથી રાખવામાં આવશે નજર

700થી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવતીકાલે અષાઢી બીજના પાવન દિવસે ભરૂચ જિલ્લાભરમાં વિવિધ સ્થળોએ કુલ 6 રથયાત્રાઓ યોજાવાની છે. ભરૂચ શહેરમાં ત્રણ, અંકલેશ્વરમાં બે તથા ઝઘડિયામાં એક રથયાત્રા યોજાવાની છે. ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ભરૂચ શહેરની અતિ પૌરાણિક ગણાતી દત્ત મંદિરથી ભોઈવાડ સુધીની રથયાત્રાના માર્ગ પર આજે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ ફુરજા ચોકથી શરૂ થઈ લાલ બજાર, ચકલા, હાથીખાના બજાર, અને સોનેરીમહલ સુધી યોજાઈ હતી. સમગ્ર ફ્લેગ માર્ચ ડીવાયએસપી  સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી.રથયાત્રા દરમ્યાન પોલીસ બંદોબસ્તમાં 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 23 પીએસઆઈ, 456 હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ જવાનો સાથે 266 હોમગાર્ડનો સમાવેશ થાય છે. ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર યાત્રામાર્ગ ઉપર નજર રાખવામાં આવશે.