અંકલેશ્વર: GIDCમાં માનવ મંદિર નજીક 2 વૃક્ષ ધરાશાયી, માર્ગ પર વાહનવ્યવહાર થયો પ્રભાવિત

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ માનવ મંદિરથી ઉદ્યોગ મંડળની ઓફિસ જવાના માર્ગ પર વરસાદી માહોલ વચ્ચે 2 વૃક્ષ ધારાશયી થઈ ગયા હતા

New Update
Screenshot_2025-06-24-14-52-29-42_92460851df6f172a4592fca41cc2d2e6

અંકલેશ્વરમાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો પણ નજરે પડી રહ્યા છે.

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ માનવ મંદિરથી ઉદ્યોગ મંડળની ઓફિસ જવાના માર્ગ પર વરસાદી માહોલ વચ્ચે 2 વૃક્ષ ધારાશયી થઈ ગયા હતા

Screenshot_2025-06-24-14-52-45-27_92460851df6f172a4592fca41cc2d2e6

જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશાય થતા વાહન વ્યવહાર પ્રભાવિત થઈ ગયો હતો. આ અંગેની જાણ કરવામાં આવતા જ તંત્ર દ્વારા માર્ગ પરથી વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.વૃક્ષ ધરાશાયી થતા નજીકમાં પાર્ક કરેલ કાર અને ટેમ્પાને સામાન્ય નુકશાન પહોંચ્યું હતું.