અંકલેશ્વર: નગર સેવા સદન દ્વારા 261 શ્વાનનું ખસીકરણ- રસીકરણ કરાયુ, સ્પેશ્યલ ઓપરેશન સેન્ટર ઉભું કરાયુ

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા એનીમલ બર્થ કંટ્રોલ અંતર્ગત રખડતા શ્વાનને પકડી જન્મના નિયંત્રણ પર કેંટ્રોલ મેળવવા ખસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

New Update

નગર પાલિકા દ્વારા સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટના તબીબ અને તેમની ટીમ તૈનાત કરી ટિમ દ્વારા શહેરમાં રખડતા શ્વાનને પકડી તેનું ખસીકરણ અને રસીકરણ કરી ત્રણ દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખી છોડી મુકવામાં આવે છે.

અંકલેશ્વર શહેરમાં રખડતા શ્વાનની વધતી જતી વસ્તી ઉપર નિયંત્રણમાં લાવવા નગરપાલિકા દ્વારા જરૂરી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા શ્વાનોને પકડી તેનું ખસીકરણ થાય અને સાથે રસીકરણ કરવામાં આવે તે માટે સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટની નિમણૂંક કરી હાંસોટ રોડ ઉપર કમલમ તળાવ પાસે સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે.

આ સેન્ટરમાં સંપૂર્ણ દવાઓ સાથે એક ઓપરેશન રૂમ તૈયાર કરવામાં છે સાથે સેન્ટર ઉપર  શ્વાન માટે પાણી અને ખોરાકની પણ સુવિદ્યા ઉભી કરવામાં આવી છે. આ ટ્રસ્ટ દ્વારા સેન્ટર પર નિષ્ણાંત તબીબ અને શ્વાન પકડવાની ટીમ તૈનાત કરવામાં આવી છે. સાથે નગરપાલિકા દ્વારા એક ડોગ કેચીગ વાનની પણ ફાળવણી કરવામાં આવી છે.

 ત્યારે આ ટીમ પાલિકાના કર્મચારીને સાથે રાખી શહેરના વિવિધ વિસ્તારોમાં પહોંચી જાય છે અને રખડતા શ્વાનને સલામત રીતે પકડી લે છે અને પકડાયેલ શ્વાને ડોગ કેચિંગ વાનમાં રાખી સેન્ટર ખાતે લાવવામાં આવે છે. નિષ્ણાંત પશુ તબીબ દ્વારા જરૂરી તપાસ કરી તેનું ઓપરેશન કરી ખસીકરણ કરવામાં આવે છે સાથે પ્રિ રેબિઝ વેક્સિન પણ આપવામાં આવે છે અને ખસીકરણ બાદ શ્વાનને ત્રણ દિવસ સુધી તબીબની દેખરેખ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે. ત્યાર બાદ તેને છોડી મુકવામાં આવે છે.

નગર પાલિકા દ્વારા અત્યાર સુધીમાં 261 જેટલા શ્વાનોનું ખસીકરણ અને રસીકરણ કરવામાં આવ્યું છે.

Read the Next Article

ભરૂચ: ગ્રામપંચાયતોની ચૂંટણીનો ધમધમાટ, ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુની અધ્યક્ષતામાં કલેકટર કચેરીમાં બેઠક યોજાય

ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભરૂચ ખાતે મિંટીંગ યોજાઈ હતી.ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી

New Update
ચૂંટણી કામગીરી
ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/ મધ્યમસત્ર પેટા ચૂંટણી કામે ચૂંટણીલક્ષી જુદી જુદી કામગીરી માટે નિમણૂંક થયેલા જિલ્લા કક્ષાના નોડલ અધિકારીઓ સાથે ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભરૂચ ખાતે મિંટીંગ યોજાઈ હતી.ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી હતી. ચૂંટણી સંદર્ભે ગ્રામ્ય વિસ્તારોની સ્થાનિક પરિસ્થિતિનો પૂરતો તાગ મેળવીને કાર્ય આયોજન હાથ ધરવાની પણ જિલ્લા ચૂંટણી અધિકારીએ સૂચના આપી હતી.
આ બેઠક દરમિયાન અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર  એન.આર.ધાધલે બેઠકનું સંચાલન કરતાં અગત્યના મુદાઓ જેવા કે, કાયદો અને વ્યવસ્થા તથા પોલીસ બંદોબસ્ત, મેન પાવર, તાલીમ, વાહન વ્યવસ્થા, RO અને ARO ની નિયુક્તિ, મતપત્રકો અને પ્રતિકોની ફાળવણી, મતપત્રો છપામણી કામગીરી તેમજ છાપકામ બાદ રદ/ ખરાબ થયેલા મતપત્રો નાશ કરવા અંગેની કામગીરી, પોલીંગ સ્ટાફ, મતગણતરી સ્ટાફને તાલીમ,મતદાન મથકો પર પ્રાથમિક સુવિધા, સ્ટ્રોંગરૂમ તથા કાઉન્ટીંગ હોલ, ચૂંટણીખર્ચના હિસાબોની ચકાસણી, વાહન ફાળવણી, ચૂંટણીના સ્ટાફને ટપાલ મતપત્રો આપવા અને આદર્શ આચાર સંહિતાના જેવા મુદ્દે વિસ્તૃત ચર્ચા હાથ ધરી હતી.
Latest Stories