અંકલેશ્વર: બાકરોલની વાસ્તુવીલા સોસા.માં ચોરી કરનાર 3 આરોપી ઝડપાયા, રૂ.1.83 લાખનો મુદ્દામાલ જપ્ત

તસ્કરોએ ઘરની પાછળની બારી ખોલી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ રોકડા ૮ હજાર અને સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૩.૩૯ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

New Update
  • અંકલેશ્વરના બાકરોલમાં બન્યો હતો બનાવ

  • વાસ્તુવીલા સોસા.માં થઈ હતી ચોરી

  • રૂ.3.39 લાખના માલમત્તાની ચોરી થઈ હતી

  • પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલ 3 આરોપીની કરી ધરપકડ

  • રૂ.1.83 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

Advertisment
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે પાનોલી પોલીસ મથકની હદમાં બાકરોલ ગામની વાસ્તુવીલા સોસાયટીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢી ત્રણ આરોપીઓને રૂ.૧.૮૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા 
ગત તારીખ-૧૯મી ફેબ્રુઆરીના રોજ મૂળ પંચ મહાલ અને હાલ અંકલેશ્વરના બાકરોલ ગામની વાસ્તુ વિલા સોસાયટીમાં રહેતા અજય જશવંતસિંહ બારિયા પોતાની પત્ની સાથે મકાનને તાળું મારી નોકરી ઉપર ગયા હતા તે દરમિયાન તસ્કરો ત્રાટકી ઘરની પાછળની બારી ખોલી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ રોકડા ૮ હજાર અને સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૩.૩૯ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ચોરી અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી  હતી.તે દરમિયાન ભરૂચ એલસીબીના પી.એસ.આઈ આર.કે.ટોરાણી સહીત સ્ટાફએ વાલીયા ચોકડી ખાતે અગાઉ ઘરફોડ ચોરીમાં પકડાયેલ ઉમેશ દયાળ બગડીયાને બાઈક અને બે શંકાસ્પદ ફોન સાથે પકડી તેની પુછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો હતો.અને ગત તારીખ-૧૯મી ફેબ્રુઆરીના રોજ બાકરોલ ગામની વાસ્તુ વિલા સોસાયટીમાં ચોરી કરી સોના-ચાંદીના ઘરેણા તેમજ રોકડા ચોરી કરી દાગીના મિત્ર રવી ઇન્દ્રસિંહ રાજ સાથે મળી પાંચબત્તી સાંઇ મેડીકલ પર ચેતન વનકેશર નિઝામાં અને બીજા દાગીના ભરૂચ ઝાડેશ્વર ગાયત્રી એસ્ટેટમાં આવેલ કેશર જ્વેલર્સમાં અનિલભાઇ વીરાજી માળીને વેચાણ કર્યા હોવાની કબુલાત કરી હતી
Advertisment
પોલીસે ઘરફોડ ચોરી કરનાર ઉમેશ બગડીયા અને ચોરીના દાગીના વેચાણ લેનાર બે ઈસમો ચેતન વનકેશર નિઝામા તેમજ અનિલ વીરાજી માળીને ઝડપી પાડ્યો હતો અને ફોન તેમજ બાઈક મળી કુલ ૧.૮૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
Advertisment
Read the Next Article

અંકલેશ્વર : જલારામ મંદિરથી નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ ખોરંભે ચઢ્યું, સ્થાનિકો-રાહદારીઓને હાલાકી...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ છેલ્લા 4 મહિનાથી ખોરંભે ચઢતા સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

New Update

છેલ્લા 4 મહિનાથી ચાલતી કામગીરી બંધ થઈ

Advertisment

લોકોમાં ધીમી કામગીરીને લઈને ફેલાયો છે રોષ

કમોસમી માવઠાને લઈ ડાઈવર્ઝન માર્ગ બિસ્માર

નાળાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માંગ ઉઠી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ છેલ્લા 4 મહિનાથી ખોરંભે ચઢતા સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી અને નવા દીવા ગામના માર્ગ પર જલારામ મંદિર સ્વર્ણિમ લેક-વ્યુ પાર્ક નજીક  વર્ષો જૂનું નાળું આવેલું છે. જે બિસ્માર નાળાના નવીનીકરણની કામગીરી 4 મહિના પહેલા ભરૂચ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઈજારો આપી શરૂ કરાવવામાં આવી હતી. જોકે4-4 મહિના થઈ ગયા હોવા છતાં ગોકળ ગતિએ ચાલતી કામગીરીને લઇ સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તાજેતરમાં જ આવેલ કમોસમી વરસાદને લઇ માર્ગની બાજુમાં આપેલ ડાઈવર્ઝનનું પણ ધોવાણ થતાં ત્યાંથી વાહનો પસાર કરવું મુશ્કેલ બન્યું છે. છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી અટકેલ કામગીરી શરૂ કરાવવા માટે લોકો રસ્તે ઉતરી આવ્યા હતા. આ અંગે નવી દીવી ગામના રહેવાસીએ જણાવ્યું હતું કેછેલ્લા 4 મહિનાથી અટકી ગયેલી કામગીરી અને ડાઈવર્ઝન માર્ગ પણ અત્યંત બિસ્માર બન્યો છે. અહી 2 ગામ તેમજ વિવિધ સોસાયટીના રહીશોને આવાગમન કરવામાં ભારે અગવડતા ઉભી થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કેચોમાસું બેસવાને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છેત્યારે હવે આ અધૂરી કામગીરીને તાકીદે શરૂ કરવામાં આવે તેવી સ્થાનિકો સહિત રાહદારીઓ માંગ કરી રહ્યા છે.

Advertisment