અંકલેશ્વર: બાકરોલની વાસ્તુવીલા સોસા.માં ચોરી કરનાર 3 આરોપી ઝડપાયા, રૂ.1.83 લાખનો મુદ્દામાલ જપ્ત

તસ્કરોએ ઘરની પાછળની બારી ખોલી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ રોકડા ૮ હજાર અને સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૩.૩૯ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

New Update
  • અંકલેશ્વરના બાકરોલમાં બન્યો હતો બનાવ

  • વાસ્તુવીલા સોસા.માં થઈ હતી ચોરી

  • રૂ.3.39 લાખના માલમત્તાની ચોરી થઈ હતી

  • પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલ 3 આરોપીની કરી ધરપકડ

  • રૂ.1.83 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે પાનોલી પોલીસ મથકની હદમાં બાકરોલ ગામની વાસ્તુવીલા સોસાયટીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢી ત્રણ આરોપીઓને રૂ.૧.૮૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા 
ગત તારીખ-૧૯મી ફેબ્રુઆરીના રોજ મૂળ પંચ મહાલ અને હાલ અંકલેશ્વરના બાકરોલ ગામની વાસ્તુ વિલા સોસાયટીમાં રહેતા અજય જશવંતસિંહ બારિયા પોતાની પત્ની સાથે મકાનને તાળું મારી નોકરી ઉપર ગયા હતા તે દરમિયાન તસ્કરો ત્રાટકી ઘરની પાછળની બારી ખોલી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ રોકડા ૮ હજાર અને સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૩.૩૯ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ચોરી અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી  હતી.તે દરમિયાન ભરૂચ એલસીબીના પી.એસ.આઈ આર.કે.ટોરાણી સહીત સ્ટાફએ વાલીયા ચોકડી ખાતે અગાઉ ઘરફોડ ચોરીમાં પકડાયેલ ઉમેશ દયાળ બગડીયાને બાઈક અને બે શંકાસ્પદ ફોન સાથે પકડી તેની પુછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો હતો.અને ગત તારીખ-૧૯મી ફેબ્રુઆરીના રોજ બાકરોલ ગામની વાસ્તુ વિલા સોસાયટીમાં ચોરી કરી સોના-ચાંદીના ઘરેણા તેમજ રોકડા ચોરી કરી દાગીના મિત્ર રવી ઇન્દ્રસિંહ રાજ સાથે મળી પાંચબત્તી સાંઇ મેડીકલ પર ચેતન વનકેશર નિઝામાં અને બીજા દાગીના ભરૂચ ઝાડેશ્વર ગાયત્રી એસ્ટેટમાં આવેલ કેશર જ્વેલર્સમાં અનિલભાઇ વીરાજી માળીને વેચાણ કર્યા હોવાની કબુલાત કરી હતી
પોલીસે ઘરફોડ ચોરી કરનાર ઉમેશ બગડીયા અને ચોરીના દાગીના વેચાણ લેનાર બે ઈસમો ચેતન વનકેશર નિઝામા તેમજ અનિલ વીરાજી માળીને ઝડપી પાડ્યો હતો અને ફોન તેમજ બાઈક મળી કુલ ૧.૮૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
Read the Next Article

અંકલેશ્વર: દાઢલ ગામ નજીકથી પસાર થતી અમરાવતી ખાડીમાં ડૂબી જતાં મોત, થોડા સમય પૂર્વે પાણીમાંથી અંતિમ યાત્રા લઇ જવી પડી હતી

અંકલેશ્વરના દઢાલ ગામમાં રહેતા 32 વર્ષીય વિજય મોરાર વસાવા આજરોજ બપોરે સાગબારા ફાટકથી દઢાલ ગામમાં અમરાવતી ખાડીથી પસાર થઈ જતો હતો સમયે અચાનક તે ઊંડા પાણીમાં

New Update
cssss

અંકલેશ્વરના સાગબારા ફાટકથી દઢાલ ગામ વચ્ચે અમરાવતી ખાડીમાંથી પસાર થતા યુવાનનું ડૂબી જતાં કરુણ મોત નીપજ્યું હતું.

અંકલેશ્વરના દઢાલ ગામમાં રહેતા 32 વર્ષીય વિજય મોરાર વસાવા આજરોજ બપોરે સાગબારા ફાટકથી દઢાલ ગામમાં અમરાવતી ખાડીથી પસાર થઈ જતો હતો.તે સમયે અચાનક તે ઊંડા પાણીમાં ગરક થતા તે ડૂબી ગયો હતો.આ અંગેની જાણ ગ્રામજનો થતા તેઓએ તેની ખાડી શોધખોળ કરતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો.બનાવ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છેકે વારંવાર તંત્રમાં આ સ્થળે નાળા સાથે માર્ગ બનાવવામાં આવે તે અંગે રજુઆત કરવામાં આવી છે.સાથે ટેન્ડર પણ પાસ થઈ ગયું છે પરંતુ આગળની કામગીરી ક્યાં અટવાઈ છે.તેવો કચવાટ ગ્રામજનોમાં ચાલી રહ્યો છે.