અંકલેશ્વર: રાજપીપળા ચોકડીથી સારંગપુર સુધી 3 કી.મી.લાંબો ટ્રાફિકજામ, અનેક વાહનચાલકો અટવાયા

.રોજ સાંજ-સવાર મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકની સમસ્યાથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે વાલિયા ચોકડી બાદ રાજપીપળા ચોકડીથી સારંગપુર ગામ સુધીના માર્ગ ઉપર પણ ટ્રાફિકે માજા મૂકી છે.

New Update
  • અંકલેશ્વરમાં ફરીએકવાર ટ્રાફિકજામ

  • રાજપીપળા ચોકડીથી સારંગપુર સુધી ટ્રાફિકજામ

  • અનેક વાહન ચાલકો અટવાયા

  • બિસ્માર માર્ગના કારણે ટ્રાફિકજામની પરિસ્થિતિ

  • વારંવાર ટ્રાફિકજામ સર્જાતા લોકો પરેશાન

Advertisment
અંકલેશ્વરની રાજપીપલા ચોકડીથી સારંગપુર ગામ સુધીના મુખ્ય માર્ગ ઉપર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા હતા. છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરમાં ટ્રાફિકનો પ્રશ્ન જટિલ બન્યો છે.રોજ સાંજ-સવાર મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકની સમસ્યાથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે વાલિયા ચોકડી બાદ રાજપીપળા ચોકડીથી સારંગપુર ગામ સુધીના માર્ગ ઉપર પણ ટ્રાફિકે માજા મૂકી છે.
આજરોજ રાજપીપળા ચોકડીથી સારંગપુર સુધી વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી તેવામાં ભર બપોરે વાહન ચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો ત્યારે તંત્ર રાજપીપળા ચોકડી પાસેથી બિસ્માર બનેલ માર્ગનું પેચવર્ક ત્વરિત કરાવે તે અત્યંત જરૂરી છે.
Advertisment
Read the Next Article

ભરૂચ : ઇતિહાસના સાક્ષી, અવગણનાના શિકાર બન્યા નર્મદા ઘાટ,પર્યટન સ્થળ તરીકે  પુનઃવિકાસની ઉઠી પોકાર

સ્થાનિક રહીશો અને ધાર્મિક સંગઠનો મુજબ, ભૂતકાળમાં આ ઘાટો પર ધાર્મિક ક્રિયાઓ, પવિત્ર સ્નાન, તહેવાર અને આરતી જેવી પરંપરાઓ નિયમિત રીતે થતા હતા.

author-image
By Connect Gujarat Desk
New Update
  • નર્મદા ઘાટ બન્યા દુર્દશાનો શિકાર

  • ઇતિહાસના સાક્ષી ઘાટોની અવગણના

  • પવિત્ર ઘાટ પર સંતો અને ઋષિઓએ કર્યા છે તપ

  • વારાણસી મુજબ જ નર્મદા ઘાટનાં વિકાસનો પોકાર

  • પર્યટન સ્થળ તરીકે ઘાટનાં વિકાસ માટે ઉઠી માંગ 

Advertisment

ભરૂચના નર્મદા કિનારાનાં ઘાટ આજે પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યા છે. સ્થાનિક રહીશો અને ધાર્મિક સંગઠનો મુજબભૂતકાળમાં આ ઘાટો પર ધાર્મિક ક્રિયાઓપવિત્ર સ્નાનતહેવાર અને આરતી જેવી પરંપરાઓ નિયમિત રીતે થતા હતા. આ ઘાટો પર સંતો અને ઋષિઓએ તપ કર્યા હતા,તો કેટલાક ઘાટો ઐતિહાસિક યુદ્ધો અને યાત્રાઓના સાક્ષી રહ્યા છે. આજના સમયમાં આ ઘાટો તૂટી ગયેલી પાળીઓકચરો અને પાણીના ભરાવા સહિત ગંદકી જેવી સમસ્યાઓથી ઘેરાયેલા છે.

ભરૂચની જનતાનું કહેવું છે કે સરકાર દ્વારા 'સ્ટેચ્યુ ઓફ યુનિટીજેવા વિશ્વવિખ્યાત પ્રોજેક્ટ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યોપણ એ જ નર્મદા નદીના પવિત્ર ઘાટો આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. ત્યાં લાઇટિંગ,પીવાનું પાણી,શૌચાલય કે બેસવાની વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ નથી.

સ્થાનિક સામાજિક કાર્યકરોઐતિહાસિક રસ ધરાવતા લોકો અને ધાર્મિક સંગઠનો સરકારને આગ્રહ કરી રહ્યા છે કે નર્મદા ઘાટોનું દસ્તાવેજી કરણ કરવામાં આવેઅને તેમની પૌરાણિક તથા ઐતિહાસિક મહત્તાને પ્રકાશમાં લાવીને ઘાટોનું સૌંદર્યકરણ કરવામાં આવે. સાથે જ ઘાટોની કથાઓ અને ઇતિહાસ દર્શાવતું દ્રશ્ય અને ઓડિયો માર્ગદર્શન દિવાલ ચિત્રો અને સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ કરવાથી ધાર્મિક પર્યટન વધારી શકાય તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે. 

Advertisment