અંકલેશ્વર: ન.પા.ની સામાન્ય સભામાં 35 ઠરાવોને મંજૂરી, વિપક્ષે બિસ્માર માર્ગો-ડ્રેનેજ બાબતે નોંધાવ્યો વિરોધ

અંકલેશ્વર નગર સેવાસદનની મળેલી સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ બિસ્માર માર્ગો તેમજ ડ્રેનેજ સહિતના પ્રશ્ને વિરોધ નોંધાવ્યો હતો અને શાસકોને ઘેરવાનો પ્રયત્ન કર્યો

New Update

અંકલેશ્વર નગર સેવા સદનની સામાન્ય સભા

35 ઠરાવોને અપાય મંજૂરી

વિપક્ષે નોંધાવ્યો વિરોધ

બિસ્માર માર્ગો, ડ્રેનેજ બાબતે વિરોધ નોંધાવ્યો

માત્ર અડધો કલાકમાં સામાન્ય સભા પૂર્ણ

અંકલેશ્વર નગરપાલિકાની ક્વાર્ટલી જનરલ બોર્ડની મિટિંગ આજરોજ પાલિકા સભાખંડ ખાતે યોજાય હતી જેમાં ૩૫ જેટલા વિવિધ વિકાસ તેમજ વહીવટી કામોને શાસક પક્ષે બહુમતીના જોરે બહાલી આપી હતી
અંકલેશ્વર નગરપાલિકાની બોર્ડ મિટિંગ આજરોજ પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિતના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં આગામી વર્ષ દરમ્યાન થનાર વિકાસ કામોના ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં શાસક પક્ષને સફળતા હાંસલ થઇ હતી.
આજની બોર્ડ મિટિંગ દરમ્યાન  વિરોધ પક્ષના સભ્યોએ કોઈ ખાસ દલીલ કરવાનું ટાળ્યું હતુ અને માત્ર અડધો કલાકમાં સામાન્ય સભા અધવચ્ચે છોડીને આગળના કાર્યો માટે શાસક પક્ષને છુટ્ટો દોર આપી દીધો હતો અને પછી પાલિકા પ્રમુખે બોર્ડ મિટિંગ સમાપ્ત કરી દીધી હતી.
આ સામાન્ય સભામાં ડ્રેનેજ, પાણી, રોડ રસ્તા ઉપરાંત શાળા, ફાયર વિભાગના અમુક કામો,નગરપાલિકાની માલીકીની ભાડાપટે અપાયેલ મિલ્કતોના ભાડામાં વધારો, સુકાવલી સાઈડને નિઃશુલ્ક ધોરણે ખાનગી એજન્સીને કચરો ઉઠાવવાના કરાર સહિતના 35 ઠરાવોને બહાલી આપવામાં આવી હતી
અંકલેશ્વર નગર સેવાસદનની મળેલી સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ બિસ્માર માર્ગો તેમજ ડ્રેનેજ સહિતના પ્રશ્ને વિરોધ નોંધાવ્યો હતો અને શાસકોને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો
Read the Next Article

અંકલેશ્વર: નર્મદા નદીમાં 5 યુવાનો ભરતીના પાણીમાં ફસાતા સ્થાનિક નાવિકોએ જીવ બચાવ્યો, બોટમાં કરી રહ્યા હતા ધીંગામસ્તી

અંકલેશ્વર તરફ નર્મદા નદીના કિનારે પાંચ જેટલા યુવાનોને સેલ્ફી અને ધીંગા મસ્તી કરવી ભારે પડી હતી અચાનક જ ભરતીના પાણી ફરી વળતા 5 જેટલા યુવાનો ફસાયા હતા

New Update
  • અંકલેશ્વર નજીક નર્મદા નદીનો બનાવ

  • નર્મદા નદીમાં 5 યુવાનો ફસાયા

  • ભરતીના પાણીમાં ફસાયા

  • સ્થાનિક નાવિકોએ બચાવ્યો જીવ

  • બોટમાં કરી રહ્યા હતા ધીંગામસ્તી

અંકલેશ્વર તરફ નર્મદા નદીના કિનારે પાંચ જેટલા યુવાનોને સેલ્ફી અને ધીંગા મસ્તી કરવી ભારે પડી હતી અચાનક જ ભરતીના પાણી ફરી વળતા 5 જેટલા યુવાનો ફસાયા હતા જેમને સ્થાનિક નાવિકોએ બહાર કાઢી જીવ બચાવ્યો હતો.

અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાના કિસ્સા યથાવત છે ત્યારે કેટલાક યુવાનોની જોખમી સેલ્ફી અને ધીંગા મસ્તીનો બનાવ સામે આવ્યો છે. રવિવારની સાંજે કેટલા યુવાનો નર્મદા નદી કિનારે અંકલેશ્વર તરફ પહોંચ્યા હતા જ્યાં લંગારેલી બોટમાં તેઓ સેલ્ફી અને ધીંગામસ્તી કરી રહ્યા હતા. જો કે ભરતીના પાણી આવતા બોટ પાણી વચ્ચે ફસાઈ ગઈ હતી અને યુવાનોના પણ જીવ પડીકે બંધાઈ ગયા હતા.

આ અંગેની જાણ થતાં જ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ અન્ય નાવિકોને જાણ કરતા તેઓ પહોંચ્યા હતા અને નાવિકોએ નદીના પાણીમાં તરી નાવડી સાથે 5 જેટલા યુવાનોને બહાર કાઢી તેમનો જીવ બચાવ્યો હતો. આ અંગે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે  નર્મદા નદીના ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર તરફ રવિવાર અને રજા સહિતના દિવસોમાં મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડે છે છતાં તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવતી નથી ત્યારે મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ એ પ્રશ્ન ઉઠી રહ્યો છે.