New Update
-
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા યોજાયો કાર્યક્રમ
-
સફાઈ કામદારોને કરાયા કાયમી
-
5 વર્ષ પૂર્ણ થતાં 36 કામદારોને કાયમી કરાયા
-
કામદારોને નિમણુંક પત્ર એનાયત કરાયા
-
પ્રમુખ લલિતા રાજપુરોહિત સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર નગરપાલિકાના કરાર આધારિત ૩૬ સફાઈ કામદારોને આજરોજ કાયમી ધોરણે નિમણુંક પત્ર આપવામાં આવ્યા હતા જેના પગલે તેઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો
વર્ષ-૨૦૧૮માં અંકલેશ્વર નગર પાલિકા દ્વારા કરાર આધારિત ૩૬ સફાઈ કર્મીઓની ભરતી કરવામાં આવી હતી.જે કર્મીઓને પાંચ વર્ષ પુરા થતા કાયમી ધોરણે નિમણુંક માટે સરકારમાંથી મંજુરી મેળવી સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો.
જે ૩૬ સફાઈ કર્મચારીઓને આજરોજ નગર પાલિકાના સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત,ઉપ પ્રમુખ ભાવેશ કાયસ્થ અને કારોબારી ચેરમેન નીલેશ પટેલની ઉપસ્થિતિમાં તમામ કામદારોને સાતમાં પગાર ધોરણના સ્કેલ ઉપર તારીખ-૩જી ફેબ્રુઆરીથી કાયમી ધોરણે નિમણુંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.આ નિમણુંક પત્ર એનાયતના કાર્યક્રમમાં નગર સેવકો તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories