અંકલેશ્વર:સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં મારામારી કરનાર 4 આરોપી ઝડપાયા,મારામારીનો વિડીયો થયો હતો વાયરલ

શ્યામ રેસીડેન્સીમાં રહેતો સુનિલ હરેરામ પાસવાન, આકાશ પ્રજાપતિ અને શિવ નાયક સહીત એક સગીરને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયસેસરની કાર્યવાહી હાથ ધરી..

New Update
  • અંકલેશ્વરમાં બન્યો હતો બનાવ

  • સિગ્નેચર ગેલેરિયા શોપિંગ સેન્ટરનો બનાવ

  • મારામારીનો વિડીયો થયો હતો વાયરલ

  • પોલીસે એક સગીર સહિત 4 આરોપીની કરી ધરપકડ

  • શુભ પ્રસંગમાં જમવાનું પીરસવા બાબતે થઈ હતી બબાલ

અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ સ્થિત સિગ્નેચર ગેલેરીયા શોપિંગ સેન્ટરમાં થયેલ મારામારીના મામલામાં પોલીસે એક સગીર સહીત ચાર યુવાનોને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વરના પટેલ નગરમાં રહેતા પ્રિન્સ ઘનશ્યામ પ્રજાપતિનો જી.આઇ.ડી.સીમાં શુભ પ્રસંગમાં જમવાના પીરસવા બાબતની રીસ રાખી ઝઘડો થયો હતો જે ઝઘડાના સમાધાન માટે અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ સ્થિત સિગ્નેચર ગેલેરીયા શોપિંગ સેન્ટરમાં પ્રિન્સ પ્રજાપતિને બોલાવ્યો હતો જ્યાં મામલો બીચકતા સુનિલ હરેરામ પાસવાન, આકાશ સોમેશ્વર પ્રજાપતિ અને શિવ રવિ નાયક સહીત એક સગીરે મારામારી કરી હતી આ મારામારીનો વિડીયો વાયરલ થયા બાદ બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી ડી માર્ટની પાછળ આવેલ શ્યામ રેસીડેન્સીમાં રહેતો સુનિલ હરેરામ પાસવાન, આકાશ પ્રજાપતિ અને શિવ નાયક સહીત એક સગીરને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયસેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read the Next Article

અંકલેશ્વર : કોસમડી ગામે વીજ તાર તૂટીને પડવાથી બે અબોલ પશુઓના વીજ કરંટથી મોત

અંકલેશ્વરનાકોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

New Update
  • કોસમડીમાં વીજ તાર તૂટીને પડવાનો મામલો

  • બે મહિલાઓ પશુ ચરાવવા માટે ગઈ હતી 

  • સાંજે પરત ફરીથી વેળાએ બની ઘટના

  • ખાડી પાસે વીજ તાર તૂટીને પડ્યો હતો

  • વીજ કરંટ લાગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની ખાડી પાસે વીજ લાઈનનો એક તાર તૂટીને પડ્યો હતો,જેનો કરંટ બે અબોલ પશુઓને લગતા મોતને ભેટ્યા હતા. અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના નવાપરા ફળિયામાં રહેતા જમણા વસાવા અને રેવા વસાવા પોતાની ભેંસોને ચરાવવા માટે ગામની સીમમાં ગયા હતા,ત્યાંથી સાંજના સુમારે પરત ફરતી વેળાએ એક દુર્ઘટના સર્જાય હતી.

જેમાં કોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લાગ્યો હતો,વીજ કરંટના જોરદાર ઝટકાથી એક ભેંસ અને પાડાના મોત નિપજ્યા હતા,ઘટના અંગે જમના વસાવાએ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.