અંકલેશ્વર:સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં મારામારી કરનાર 4 આરોપી ઝડપાયા,મારામારીનો વિડીયો થયો હતો વાયરલ

શ્યામ રેસીડેન્સીમાં રહેતો સુનિલ હરેરામ પાસવાન, આકાશ પ્રજાપતિ અને શિવ નાયક સહીત એક સગીરને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયસેસરની કાર્યવાહી હાથ ધરી..

New Update
  • અંકલેશ્વરમાં બન્યો હતો બનાવ

  • સિગ્નેચર ગેલેરિયા શોપિંગ સેન્ટરનો બનાવ

  • મારામારીનો વિડીયો થયો હતો વાયરલ

  • પોલીસે એક સગીર સહિત 4 આરોપીની કરી ધરપકડ

  • શુભ પ્રસંગમાં જમવાનું પીરસવા બાબતે થઈ હતી બબાલ

અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ સ્થિત સિગ્નેચર ગેલેરીયા શોપિંગ સેન્ટરમાં થયેલ મારામારીના મામલામાં પોલીસે એક સગીર સહીત ચાર યુવાનોને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વરના પટેલ નગરમાં રહેતા પ્રિન્સ ઘનશ્યામ પ્રજાપતિનો જી.આઇ.ડી.સીમાં શુભ પ્રસંગમાં જમવાના પીરસવા બાબતની રીસ રાખી ઝઘડો થયો હતો જે ઝઘડાના સમાધાન માટે અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ સ્થિત સિગ્નેચર ગેલેરીયા શોપિંગ સેન્ટરમાં પ્રિન્સ પ્રજાપતિને બોલાવ્યો હતો જ્યાં મામલો બીચકતા સુનિલ હરેરામ પાસવાન, આકાશ સોમેશ્વર પ્રજાપતિ અને શિવ રવિ નાયક સહીત એક સગીરે મારામારી કરી હતી આ મારામારીનો વિડીયો વાયરલ થયા બાદ બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી ડી માર્ટની પાછળ આવેલ શ્યામ રેસીડેન્સીમાં રહેતો સુનિલ હરેરામ પાસવાન, આકાશ પ્રજાપતિ અને શિવ નાયક સહીત એક સગીરને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયસેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read the Next Article

અંકલેશ્વર: હાંસોટના વધવાણ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે આયોગ્ય વિભાગ દ્વારા નેશનલ લેવલ એસેસમેન્ટ-રાષ્ટ્રીય કક્ષાનું નિરિક્ષણ કરાયુ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એસ.દુલેરાની દેખરેખ હેઠળ ભરૂચ જિલ્લામાં નેશનલ

New Update
IMG-20250714-WA0015

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એસ.દુલેરાની દેખરેખ હેઠળ ભરૂચ જિલ્લામાં નેશનલ કવોલિટી એસ્યોરન્સ પ્રોગ્રામ (NQAS) અંતર્ગત નેશનલ લેવલ એસેસમેન્ટ-રાષ્ટ્રીય કક્ષાનું નિરિક્ષણ કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઇલાવના વઘવાણ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે આરોગ્ય વિભાગના ડો.મનીષ શર્મા અને ડો.સુનીતા ડોહાન દ્વારા નેશનલ લેવલ એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું.

IMG-20250707-WA0138

જેમાં આયુષ્યમાન આરોગ્ય મંદિરની આરોગ્યલક્ષી સેવાઓનું મુલ્યાંકન કરીને ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સર્ટીફીકેટ આપવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન આરોગ્ય વિભાગના કર્મીઓનું આરોગ્યલક્ષી જ્ઞાન, રજીસ્ટર નિભાવણી તેમજ તેઓ દ્વારા આપવામાં આવતી આરોગ્ય સેવાઓનું મુલ્યાંકન કરવામાં આવે છે.અસેસમેન્ટ દરમિયાન સગર્ભા પ્રસૂતાની સેવા, બાળ-સંભાળ અને સારવાર, કુટુંબ કલ્યાણની સેવાઓ, ચેપી તથા બિનચેપી રોગોનું સંચાલન, સામાન્ય રોગોની સારવાર, ઈમરજન્સી સેવાઓની તથા યોગ-પ્રાણાયમ સહિત આયુર્વેદિક સેવાઓની પણ ગુણવત્તા ચકાસણી કરી ખાતરી કરવામાં આવી હતી.