અંકલેશ્વર: GIDCની લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ચોરી કરનાર 4 આરોપી ઝડપાયા, CCTVના આધારે પોલીસે કરી ધરપકડ

લાઈન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરો ત્રાટક્યા હતા.તસ્કરોએ ઓફિસમાં રહેલ લોખંડના કબાટમાંથી રોકડ રૂપિયા 80 હજારની ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો...

New Update

અંકલેશ્વર જીઆઈડીસીમાં બન્યો હતો બનાવ

લાયન્સ ઈન્ટરનેશનલ સ્કૂલમાં થઇ હતી ચોરી

રૂ.80 હજારની ચોરી કરી તસ્કરો થયા હતા ફરાર

પોલીસે સુરતથી ચાર આરોપીની કરી ધરપકડ

સીસીટીવી ફુટેજના આધારે આરોપી ઝડપાયા

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી કાઢી પોલીસે ચાર ઇસમોને ઝડપી પાડ્યા  ગત તારીખ-૧લી માર્ચના રોજ અંકલેશ્વર જીઆઇડીસીમાં ગાર્ડન સીટી રોડ પર આવેલ લાઈન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરો ત્રાટક્યા હતા.તસ્કરોએ ઓફિસમાં રહેલ લોખંડના કબાટમાંથી રોકડ રૂપિયા 80 હજારની ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો.
શાળાના ક્લાર્ક ભરત સોનવણેએ ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓના ફોટોશૂટ માટેના રૂપિયા ૮૦ હજાર એડમીન રૂમની તિજોરીમાં મૂક્યા હતા જેની તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા.ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન પોલીસે સુરતના પાંડેસરાની ભગવતી નગરમાં રહેતો અનિલકુમાર ચંદેકામી બીક,હિતેશ રૂપસિંગ વિશ્વકર્મા,ભીમ રતિ દાસ અને અમન ધનબીરે બીસ્ટને ઝડપી પાડી ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.આરોપીઓએ અગાઉ પણ ચોરીના ગુનાને અંજામ આપ્યો છે કે કેમ એ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
Read the Next Article

અંકલેશ્વર : કોસમડી ગામે વીજ તાર તૂટીને પડવાથી બે અબોલ પશુઓના વીજ કરંટથી મોત

અંકલેશ્વરનાકોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

New Update
  • કોસમડીમાં વીજ તાર તૂટીને પડવાનો મામલો

  • બે મહિલાઓ પશુ ચરાવવા માટે ગઈ હતી 

  • સાંજે પરત ફરીથી વેળાએ બની ઘટના

  • ખાડી પાસે વીજ તાર તૂટીને પડ્યો હતો

  • વીજ કરંટ લાગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની ખાડી પાસે વીજ લાઈનનો એક તાર તૂટીને પડ્યો હતો,જેનો કરંટ બે અબોલ પશુઓને લગતા મોતને ભેટ્યા હતા. અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના નવાપરા ફળિયામાં રહેતા જમણા વસાવા અને રેવા વસાવા પોતાની ભેંસોને ચરાવવા માટે ગામની સીમમાં ગયા હતા,ત્યાંથી સાંજના સુમારે પરત ફરતી વેળાએ એક દુર્ઘટના સર્જાય હતી.

જેમાં કોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લાગ્યો હતો,વીજ કરંટના જોરદાર ઝટકાથી એક ભેંસ અને પાડાના મોત નિપજ્યા હતા,ઘટના અંગે જમના વસાવાએ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.