અંકલેશ્વર: નવા ધંતુરિયા ગામે ગંગા માંના 75માં જન્મ મહોત્સવની ઉજવણી કરાય,લોકડાયરા સહિતના કાર્યક્રમો યોજાયા

માં પરિવાર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ મકતમપુર દ્વારા ગંગા માંના 75માં જન્મ મહોત્સવ નિમિત્તે અંકલેશ્વરના નવા ધંતુરિયા ગામના રામ નગર ખાતે ઉજવણી કરવામાં આવી હતી.

New Update
  • અંકલેશ્વરના નવા ધંતુરીયા ગામે આયોજન

  • માં પરિવાર દ્વારા આયોજન કરાયું

  • ગંગા માંના 75માં જન્મ મહોત્સવની ઉજવણી

  • લોકડાયરા સહિતના કાર્યક્રમોનું આયોજન

  • મોટી સંખ્યામાં લોકો જોડાયા

Advertisment
માં પરિવાર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ મકતમપુર દ્વારા ગંગા માંના 75માં જન્મ મહોત્સવ નિમિત્તે અંકલેશ્વરના નવા ધંતુરિયા ગામના રામ નગર ખાતે ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વરના નવા ધંતુરિયા ગામના રામ નગર ખાતે સનાતન ધર્મના ગાદી પતિ સોમદાસ બાપુની ઉપસ્થિતિમાં માં પરિવાર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ મકતમપુર દ્વારા ગંગા માંના 75માં જન્મ મહોત્સવ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ગુરુજીના આશીર્વચન મેળવી સૌ ભક્તોએ ધન્યતા અનુભવી હતી.જ્યારે રાતે લોક ડાયરો યોજાયો હતો.આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ,રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ,જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,સામાજિક આગેવાન ધનજી પરમાર,બલદેવ આહીર,અનિલ પટેલ તેમજ જીતુ પટેલ સહિતના આગેવાનો અને અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા
Advertisment
Read the Next Article

અંકલેશ્વર : જલારામ મંદિરથી નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ ખોરંભે ચઢ્યું, સ્થાનિકો-રાહદારીઓને હાલાકી...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ છેલ્લા 4 મહિનાથી ખોરંભે ચઢતા સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

New Update

છેલ્લા 4 મહિનાથી ચાલતી કામગીરી બંધ થઈ

Advertisment

લોકોમાં ધીમી કામગીરીને લઈને ફેલાયો છે રોષ

કમોસમી માવઠાને લઈ ડાઈવર્ઝન માર્ગ બિસ્માર

નાળાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માંગ ઉઠી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ છેલ્લા 4 મહિનાથી ખોરંભે ચઢતા સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી અને નવા દીવા ગામના માર્ગ પર જલારામ મંદિર સ્વર્ણિમ લેક-વ્યુ પાર્ક નજીક  વર્ષો જૂનું નાળું આવેલું છે. જે બિસ્માર નાળાના નવીનીકરણની કામગીરી 4 મહિના પહેલા ભરૂચ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઈજારો આપી શરૂ કરાવવામાં આવી હતી. જોકે4-4 મહિના થઈ ગયા હોવા છતાં ગોકળ ગતિએ ચાલતી કામગીરીને લઇ સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તાજેતરમાં જ આવેલ કમોસમી વરસાદને લઇ માર્ગની બાજુમાં આપેલ ડાઈવર્ઝનનું પણ ધોવાણ થતાં ત્યાંથી વાહનો પસાર કરવું મુશ્કેલ બન્યું છે. છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી અટકેલ કામગીરી શરૂ કરાવવા માટે લોકો રસ્તે ઉતરી આવ્યા હતા. આ અંગે નવી દીવી ગામના રહેવાસીએ જણાવ્યું હતું કેછેલ્લા 4 મહિનાથી અટકી ગયેલી કામગીરી અને ડાઈવર્ઝન માર્ગ પણ અત્યંત બિસ્માર બન્યો છે. અહી 2 ગામ તેમજ વિવિધ સોસાયટીના રહીશોને આવાગમન કરવામાં ભારે અગવડતા ઉભી થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કેચોમાસું બેસવાને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છેત્યારે હવે આ અધૂરી કામગીરીને તાકીદે શરૂ કરવામાં આવે તેવી સ્થાનિકો સહિત રાહદારીઓ માંગ કરી રહ્યા છે.

Advertisment