અંકલેશ્વર: નવા ધંતુરિયા ગામે ગંગા માંના 75માં જન્મ મહોત્સવની ઉજવણી કરાય,લોકડાયરા સહિતના કાર્યક્રમો યોજાયા

માં પરિવાર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ મકતમપુર દ્વારા ગંગા માંના 75માં જન્મ મહોત્સવ નિમિત્તે અંકલેશ્વરના નવા ધંતુરિયા ગામના રામ નગર ખાતે ઉજવણી કરવામાં આવી હતી.

New Update
  • અંકલેશ્વરના નવા ધંતુરીયા ગામે આયોજન

  • માં પરિવાર દ્વારા આયોજન કરાયું

  • ગંગા માંના 75માં જન્મ મહોત્સવની ઉજવણી

  • લોકડાયરા સહિતના કાર્યક્રમોનું આયોજન

  • મોટી સંખ્યામાં લોકો જોડાયા

માં પરિવાર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ મકતમપુર દ્વારા ગંગા માંના 75માં જન્મ મહોત્સવ નિમિત્તે અંકલેશ્વરના નવા ધંતુરિયા ગામના રામ નગર ખાતે ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વરના નવા ધંતુરિયા ગામના રામ નગર ખાતે સનાતન ધર્મના ગાદી પતિ સોમદાસ બાપુની ઉપસ્થિતિમાં માં પરિવાર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ મકતમપુર દ્વારા ગંગા માંના 75માં જન્મ મહોત્સવ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ગુરુજીના આશીર્વચન મેળવી સૌ ભક્તોએ ધન્યતા અનુભવી હતી.જ્યારે રાતે લોક ડાયરો યોજાયો હતો.આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ,રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ,જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,સામાજિક આગેવાન ધનજી પરમાર,બલદેવ આહીર,અનિલ પટેલ તેમજ જીતુ પટેલ સહિતના આગેવાનો અને અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા
Read the Next Article

ભરૂચમાં ગ્રીન ટેક્નોલોજીથી માર્ગનું મજબુતીકરણ : ખાડાઓ ભૂતકાળ બનશે

ભરૂચ: ગુજરાતમાં ગ્રીન ટેક્નોલોજીના ઉપયોગથી પ્રથમવાર ભરૂચ જિલ્લાના જંબુસરથી ટંકારી થઈ દેવલા ગામને જોડતો માર્ગ તૈયાર થઈ રહ્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટ માટે રૂ. ૫૦ કરોડની મંજૂરી આપાઈ છે.

New Update

ભરૂચ ગુજરાતમાં ગ્રીન ટેક્નોલોજીના ઉપયોગથી પ્રથમવાર ભરૂચ જિલ્લાના જંબુસરથી ટંકારી થઈ દેવલા ગામને જોડતો માર્ગ તૈયાર થઈ રહ્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટ માટે રૂ. ૫૦ કરોડની મંજૂરી આપાઈ છે.

આ ટેક્નોલોજીમાં હયાત મટીરીયલને રીસાયકલ કરીને Chemically Stabilized Base તૈયાર કરવામાં આવે છે, જેના પરિણામે રસ્તાની આયુષ્ય વધશે અને પાણીના કારણે પોટહોલ્સની સમસ્યા નાબૂદ થશે. પર્યાવરણને અનુકૂળ અને ખર્ચમાં ઘટાડો કરનારી આ પદ્ધતિ ભવિષ્યમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ઉપયોગી સાબિત થશે.હાલ દેવલા ગામ પાસે ૫૦૦ મીટર માર્ગનું મિલિંગ અને ડ્રાય રોલિંગનું કામ ચાલી રહ્યું છે અને સમગ્ર માર્ગનું નિર્માણ માર્ચ-૨૦૨૬ સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.