અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે કસાઈવાડમાંથી ગૌ વંશ સાથે ખાટકીની કરી ધરપકડ

અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે કસાઈવાડમાં ગૌવંશ સાથે એક ખાટકીને ઝડપી પાડ્યો હતો જયારે અન્ય બેને વોન્ટેડ જાહેર કર્યો હતો 

New Update
  • અંકલેશ્વર એ ડિવિઝન પોલીસની કાર્યવાહી

  • કસાઈવાડમાં પાડવામાં આવ્યા દરોડા

  • ગૌવંશ સાથે ખાટકીની કરી ધરપકડ

  • 2 આરોપીઓને જાહેર કર્યા વોન્ટેડ

  • રૂ.60 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો

અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે કસાઈવાડમાં ગૌવંશ સાથે એક ખાટકીને ઝડપી પાડ્યો હતો જયારે અન્ય બેને વોન્ટેડ જાહેર કર્યો હતો 
અંકલેશ્વરના કસાઈવાડમાં રહેતો કદીર અલ્લારખા કુરેશી અને સાહિદ ઉર્ફે તાઉ રસીદ કુરેશી કસાઈવાડ ખાતે માર્કેટમાં થ્રી વ્હીલ ટેમ્પોમાં ગૌ હત્યા કરવા ગૌવંશ ભરી લાવેલ છે.અને હાલ ઉતારી રહ્યા છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસના દરોડાને પગલે કદીર અલ્લારખા કુરેશી અને સાહિદ ઉર્ફે તાઉ રસીદ કુરેશી ગલી કુદી ફરાર થઇ ગયા હતા જયારે પોલીસે સ્થળ પરથી કસાઈવાડ ફરીદ બેકરી પાસે રહેતો અતીક એહમદ કુરેશીને ઝડપી પાડ્યો હતો.પોલીસે ૧૦ હજારની એક ગાય અને ટેમ્પો મળી કુલ ૬૦ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
Read the Next Article

ભરૂચ : આમોદ નેશનલ હાઇવે નં.64 પર આર.ટી.ઓ.ની તપાસથી ટ્રક ચાલકોમાં ફફડાટ

આમોદ નજીકના નેશનલ હાઇવે નં.64 પર ભરૂચ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આજ રોજ ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી

New Update
guj amod

90,000 રૂપિયાનો દંડ વસુલાયો, ઓવરલોડ અને બિનકાયદેસર વાહનો પર કાર્યવાહી

આમોદ નજીકના નેશનલ હાઇવે નં.64 પર ભરૂચ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આજ રોજ ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આર.ટી.ઓ.ઇન્સ્પેક્ટર એમ.પી. ડાયમાની આગેવાની હેઠળ આ તપાસ દરમિયાન કુલ રૂ. 90,000 જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો.

આ માર્ગ પરથી દિવસ-રાત ભારે વાહનો પસાર થાય છે, જેમાં ખાસ કરીને નમક (મીઠું), રેતી અને હઝાર્ડ વેસ્ટ ભરેલ ટ્રકોનો સમાવેશ થાય છે. ઓવરલોડ અને સુરક્ષા નિયમોની અવગણનાથી અકસ્માતોની સંભાવના વધતી હોવાથી આર.ટી.ઓ. દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.તપાસની માહિતી વાયુવેગે ફેલાતા કેટલાય ટ્રક ચાલકોએ પોતાની ઓવરલોડ વાહનો રસ્તા કિનારે ઊભા રાખી દિધા હોવાની વિગતો સામે આવી છે. રાત્રિના સમયે દહેજ તરફ જતા મીઠું ભરેલ ટ્રકો અને હઝાર્ડ વેસ્ટવાળા વાહનો ગંભીર જોખમ ઊભું કરે છે, કારણ કે કેટલાક વાહનોમાંથી પ્રવાહી રોડ પર સરકે છે, જેને લીધે અકસ્માતોની ઘટનાઓ સર્જાઈ છે.તદુપરાંત, કરજણથી વહેલી સવારે પસાર થતી રેતી ભરેલી ટ્રકોમાં યોગ્ય કવરિંગ ન હોવાને કારણે રેતી ઉડીને પાછળ આવતા બાઈક સવારોને આંખમાં વળગી જાય છે. રાત્રી દરમિયાન કેટલીક ટ્રકોની લાઈટો પણ બંધ હોવાના કારણે માર્ગ પર અકસ્માતનો ભય વધ્યો છે.