આજથી નવરાત્રિ મહોત્સવનો થઈ રહ્યો છે ભવ્ય પ્રારંભ
ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન
જીનવાલા સ્કૂલથી માઁ આદ્યશક્તિની શોભાયાત્રા યોજાય
ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે શોભાયાત્રાનું સમાપન કરાયું
શોભાયાત્રામાં ગુંજ સોશ્યલ ગ્રુપના પ્રમુખ-સભ્યો જોડાયા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ નિમિત્તે માઁ આદ્યશક્તિની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા જીનવાલા સ્કૂલથી પ્રસ્થાન થઈ શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઇ ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી.
આજથી માઁ આદ્યશક્તિની આરાધનાનો પ્રારંભ થયો છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા ગરબા ગ્રાઉન્ડ ખાતે માઁ આદ્યશક્તિના સ્થાપન પૂર્વે વાજતે-ગાજતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા જીનવાલા સ્કૂલથી પ્રસ્થાન થઈ શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઇ ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી, જ્યાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કરી માઁ આદ્યશક્તિની સ્થાપના કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં ગુંજ સોશ્યલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા, હોદ્દેદારો-સભ્યો સહિતના નગરજનો જોડાયા હતા.