અંકલેશ્વર: હાંસોટમાં યોજાયેલ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

ભરૂચના હાંસોટ ખાતે આવેલ યોગી વિદ્યા મંદિર શાળા ખાતેથી ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
Screenshot_2025-08-12-16-15-44-90_6012fa4d4ddec268fc5c7112cbb265e7

ભરૂચના હાંસોટ ખાતે આવેલ યોગી વિદ્યા મંદિર શાળા ખાતેથી ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ અભિયાન અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જેના ભાગરૂપે હાંસોટ તાલુકામાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Screenshot_2025-08-12-16-14-58-24_6012fa4d4ddec268fc5c7112cbb265e7

ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં હાંસોટની યોગી વિદ્યા મંદિર ખાતેથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જે તિરંગા યાત્રા મુખ્ય માર્ગ પરથી ધ્વજ લહેરાવતા, દેશભક્તિના નારા લગાવતા અને દેશભક્તિ ગીતોની ગુંજ સાથે યોજાઇ હતી.
આ યાત્રામાં મોટી વિવિધ શાળાઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ,કર્મચારીઓ સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.આ યાત્રામાં મામલતદાર રાજન વસાવા,તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ,મહામંત્રી જીજ્ઞેશ પટેલ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 
Bharuch | Ankleshwar News | hansot news | Tiranga Yatra 
Latest Stories