અંકલેશ્વર: સંત નિરંકારી મંડળ દ્વારા સંત સમસાગમનો કાર્યક્રમ યોજાયો

સંત નિરંકારી મંડળ અંકલેશ્વર બ્રાન્ચ દ્વારા આધ્યાત્મિક મહિલા સંત સમસાગમનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા

author-image
By Connect Gujarat
New Update

સંત નિરંકારી મંડળ અંકલેશ્વર બ્રાન્ચ દ્વારા આધ્યાત્મિક મહિલા સંત સમસાગમનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા

અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ સ્થિત રેલ્વે ફાટક પાસે આવેલ ઉમા ભવન ખાતે વિશ્વ બંધુત્વ અને માનવ એકતાના પ્રણેતા નિરંકારી સદગુરુ માતા સુદીક્ષા સવિંદર હરદેવજી મહારાજના માર્ગદર્શન હેઠળ આધ્યાત્મિક મહિલા સંત સમસાગમનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આધ્યાત્મિક જગતમાં પ્રેમ, શાંતિ માનવતા અને ભાઇચારાના  સંદેશ પર ગુજરાતનાં કચ્છ-ભૂજ ઝોનનાં જ્ઞાન પ્રચારક જ્યોતિકલમજીએ પ્રવચન આપ્યું હતું.સદર આધ્યાત્મિક મહિલા સંત સમસાગમનો કાર્યક્રમનો વડોદરા,ગોધરા, આણંદ,વલ્લભ વિધાનગર, રાજપીપલા, દહેઝ, ભરૂચ-અંકલેશ્વરના અનુયાયીઓએ લાભ લીધો હતો.
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.