અંકલેશ્વર: બ્રહ્મ સમાજ GIDC એકમ દ્વારા CPR અંગેની તાલીમ આપતો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઇડીસી એકમ દ્વારા સીપીઆર અંગે તાલીમ આપતા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંકલેશ્વર જીઆઈડીસીમાં કરાયુ આયોજન

  • બ્રહ્મ સમાજ જીઆઇડીસી એકમ દ્વારા આયોજન

  • સીપીઆરની તાલીમ આપતો કાર્યક્રમ યોજાયો

  • નિષ્ણાંત તબીબો દ્વારા અપાયું માર્ગદર્શન

  • સમાજના સભ્યોએ લીધો લાભ

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઇડીસી એકમ દ્વારા સીપીઆર અંગે તાલીમ આપતા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઇડીસી એકમ દ્વારા અંકલેશ્વરમાં આવેલા સિનિયર સિટીઝન ક્લબ ખાતે સી.પી.આર.અંગે તાલીમ આપતા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર કેતન પટેલ અને તેમની ટીમ દ્વારા  દર્દીને જરૂર પડે ત્યારે સીપીઆર કઈ રીતે આપી શકાય તે અંગેનું વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સદર કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ ચંદુભાઈ જોશી, મહામંત્રી ભાસ્કર આચાર્ય, યુવા પ્રમુખ દર્શન જાની, મહિલા પ્રમુખ રૂપલબહેન જોશી, નરેન્દ્ર ભટ્ટ તેમજ ડોક્ટર હિરેન વ્યાસ સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા
Read the Next Article

ભરૂચ: સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક 10 અને 35ને બંધ કરવા બાબતે શિક્ષણ વિભાગનો ખુલાસો, શાળા બંધ નથી કરી મર્જ કરી છે !

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35ને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેવાતા  85 થી વધુ વિદ્યાર્થીઓના

New Update

ભરૂચમાં શાળા બંધ થવાનો મામલો

સ્ટેશન રોડ મિશ્ર શાળા 10-35 બંધ થવાના થયા હતા આક્ષેપ

શાળા બંધ થવા બાબતે શિક્ષણ વિભાગનો ખુલાસો

શાળાને બંધ નથી કરાય મર્જ કરવામાં આવી છે

સુવિધા યુક્ત શિક્ષણ આપવા પ્રયાસ છે

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35ને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેવાતા  85 થી વધુ વિદ્યાર્થીઓના ભણતર પર ગંભીર અસર પડી હોય આ બાબતે જિલ્લા શાસનાધિકારી  તરફથી ખુલાસો કરતા બંધ નહી પણ અન્ય  નજીકની શાળામાં  મર્જ કરવામાં આવી હોવાનું જણાવ્યુ હતું
ભરૂચના કલરવ સ્કૂલ સામે આવેલા ટેકરા પર રાવળીયાવાડ વિસ્તારમાં આવેલી આ નગર પ્રાથમિક શાળા વર્ષોથી ચાલતી આવી રહી હતી પરંતુ તાજેતરમાં અચાનક આ શાળાને બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે અસંતોષ ફેલાયો હતો  અને શાળા ખાતે દોડી આવેલ વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.આ બાબતે ઈન્ચાર્જ નગર પ્રાથમિક શાસનાધિકારી ભરત સલાટે  ખુલાસો કરતા જણાવ્યું હતું કે આ શાળા બંધ નથી કરી પણ વિદ્યાર્થીઓની અને શિક્ષકોની સંખ્યા તેમજ ભાડાનું જર્જરીત મકાનને ધ્યાને લઈ નગર પ્રાથમિક સમિતિની 500 મીટરના જ  અંતરે આવેલ  દાંડિયા બજાર મિશ્ર શાળામાં મર્જ કરવામાં આવી છે જ્યાં સુવિધા યુક્ત બિલ્ડિંગ, અને વિષય પ્રમાણેના શિક્ષકો પણ છે જેથી ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહેશે.