અંકલેશ્વર: જોગર્સ પાર્ક નજીક રૂ.35 લાખના ખર્ચે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું નિર્માણ, CR પાટીલના હસ્તે થશે અનાવરણ

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ જોગર્સ પાર્ક નજીક મહારાષ્ટ્રિયન સેવા મંડળ દ્વારા નિર્માણ પામેલ છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ પ્રતિમા નિર્માણ કરવામાં આવ્યું છે.

New Update
  • અંકલેશ્વરના જોગર્સ પાર્ક નજીક કરાયુ નિર્માણ

  • શિવાજી મહારાજની 15 ફૂટ ઉંચી પ્રતિમાનું નિર્માણ

  • કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના હસ્તે થશે અનાવરણ 

  • તારીખ ચોથી જાન્યુ.એ યોજાશે કાર્યક્રમ

  • રૂ.35 લાખનો ખર્ચ કરવામાં આવ્યો

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ જોગર્સ પાર્ક નજીક મહારાષ્ટ્રિયન સેવા મંડળ દ્વારા નિર્માણ પામેલ છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ પ્રતિમા નિર્માણ કરવામાં આવ્યું છે. તારીખ ચોથી જાન્યુઆરીએ કેન્દ્રીય જળ શક્તિમંત્રી સી.આર.પાટીલના હસ્તે આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે.
હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું અંકલેશ્વરમાં નિર્માણ કરવામાં આવ્યું છે.અંકલેશ્વરના જોગર્સ પાર્ક નજીક મહારાષ્ટ્રીયન સેવા મંડળ અંકલેશ્વર દ્વારા આ પ્રતિમાનું નિર્માણ કરાયું છે.ત્યારે પ્રતિમાનું તારીખ ચોથી જાન્યુઆરીના રોજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે અનાવરણ  કરવામાં આવશે.આ અંગેની માહિતી આપવા આજરોજ પત્રકાર પરિષદ યોજાઈ હતી.જેમાં મહારાષ્ટ્રિયન સેવા મંડળના હોદ્દેદારો દ્વારા માહિતી આપવામાં આવી હતી.રૂપિયા 35 લાખના ખર્ચે 15 ફૂટ ઉંચી અને 800 કિલો વજન ધરાવતી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે.
Read the Next Article

ભરૂચ: જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી વાલિયાના 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા

New Update
  • ભરૂચના વાલિયા ખાતે યોજાયો કાર્યક્રમ

  • 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

  • જિલ્લાપંચાયતની ગ્રાન્ટમાંથી ટેન્કર આપવામાં આવ્યા

  • ધારાસભ્ય રિતેશ  રહ્યા ઉપસ્થિત

  • ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પણ આપી હાજરી

ભરૂચની વાલિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લા પંચાયતની 15માં નાણાપંચ 10 ટકાની ગ્રાન્ટમાંથી વાલિયા-ડહેલીના સભ્ય અલ્પેશ વસાવા અને શાહીસ્તાબેન કડીવાલાના સમન્વયથી વાલિયા,વટારીયા,કોંઢ,ઘોડા,પણસોલી,હોલા કોતર,મોખડી,દેસાડ,ડહેલી સહિત 9 ગામોને 3500 લીટરની ક્ષમતા ધરાવતા પીવાના પાણીના 9 ટેન્કર મંજુર થયા હતા.જે  ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે સરપંચોને અર્પણ કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મંત્રી જીજ્ઞેશ મિસ્ત્રી,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,ધરમસિંહ વસાવા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ,મહામંત્રી પ્રદીપસિંહ ભરથાણીયા,રતિલાલ વસાવા સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.