અંકલેશ્વર: સંસ્કારદીપ વિદ્યાલયમાં ધો.10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની ISRO -YUVIKA 2025માં પસંદગી

ISRO -YUVIKA 2025 અંતર્ગત 15 દિવસની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં દેશ ભરમાંથી 350 જેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયના વિદ્યાર્થીની પણ પસંદગી કરવામાં આવી છે

New Update
  • અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી છે શાળા

  • સંસ્કારદીપ વિદ્યાલયના વિદ્યાર્થીની સિદ્ધિ

  • ISRO -YUVIKA 2025માં પસંદગી

  • ધોરણ 10માં અભ્યાસ કરે છે વિદ્યાર્થી

  • શાળા પરિવારે પાઠવ્યા અભિનંદન

અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલય શાળામાં ધોરણ-10માં અભ્યાસ કરતા ચૈતન્ય લકકડનું ઇસરો યુવીકા 2025 અંતર્ગત 15 દિવસની તાલીમમાં પસંદગી કરવામાં આવી છે.
ISRO -YUVIKA 2025 અંતર્ગત 15 દિવસની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં દેશ ભરમાંથી 350 જેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે.આ તાલીમ વર્ગમાં ગુજરાતના 10 વિદ્યાર્થીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.ત્યારે આ તાલીમ વર્ગમાં અંકલેશ્વર જી.આઈ.ડી.સીની સંસ્કાર દીપ વિદ્યાલયમાં ધોરણ-10માં અભ્યાસ કરતા ચૈતન્ય અરુણ લકકડની પણ પસંદગી કરવામાં આવી છે.
આ પસંદગી બદલ શાળાના ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીને અભિનંદન પાઠવી આ તાલીમ વર્ગમાં શ્રેષ્ઠ દેખાવ કરશે તેવી પણ આશા શાળા પરિવારે વ્યક્ત કરી હતી. યુવિકા એટલે યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ ભારત સરકાર દ્વારા યુવાનોમાં અવકાશ તકનીકોમાં પ્રારંભિક રસ પેદા કરવા માટે શરૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની સત્તાવાર જાહેરાત 18 જાન્યુઆરી, 2019ના રોજ ISRO દ્વારા કરવામાં આવી હતી.
Read the Next Article

ભરૂચ: ઝઘડિયા GIDCની કોહલર ઇન્ડિયા કંપની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ, તલોદરા ગામની જમીન પચાવી પાડી હોવાનો આરોપ

ભરૂચના ઝઘડિયાની કોહલર ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા તલોદરા ગ્રામ પંચાયતની જમીન પર બિનઅધિકૃત કબજો કરવામાં આવતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

New Update
  • ભરૂચના ઝઘડિયામાં આવેલી છે કંપની

  • કોહલર ઇન્ડિયા કંપની સામે ફરિયાદ

  • તલોદરા ગ્રામપંચાયતની જમીનનો મામલો

  • જમીન પચાવી પાડી હોવાનો આરોપ

  • કોર્ટમાં દાવો દાખલ કરાયો

ભરૂચના ઝઘડિયાની કોહલર ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા તલોદરા ગ્રામ પંચાયતની જમીન પર બિનઅધિકૃત કબજો કરવામાં આવતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચના ઝઘડિયા તાલુકામાં આવેલ તલોદરા ગ્રામ પંચાયત દ્વારા પંચાયતની જમીન પર કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ બિનઅધિકૃત કબજો કર્યો હોવાનું સામે આવતાં કંપનીના તમામ ડિરેક્ટરો અને મેનેજર સામે ભરૂચ કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે. સાથે જ ઝઘડિયા કોર્ટમાં ગેરકાયદેસર કબજો પરત મેળવવા માટે ન્યાયિક દાવો પણ દાખલ કરાયો છે. આ અંગે એડવોકેટ રાકેશ પરમારે જણાવ્યું હતું કે ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડે તલોદરા ગ્રામ પંચાયતની એવી જમીન પર કબજો કર્યો હતો જેનો સંપાદન પ્રક્રિયાથી કાયદેસર હસ્તાંતર થયો નથી. છતાં કંપનીએ મનસ્વી રીતે જમીન પર કમ્પાઉન્ડ વોલ બનાવતાં, પંચાયત દ્વારા વારંવાર કંપની તથા રેવન્યૂ અધિકારીઓને જમીન મુક્ત કરવાની રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ પરિણામ ન મળતાં તલોદરા ગ્રામ પંચાયતે કંપનીના ડિરેક્ટરો અને મેનેજર સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કલેક્ટર સમક્ષ દાખલ કરાઈ છે તેમજ કોર્ટમાં કબજો પરત લેવા માટે ન્યાયિક કાર્યવાહી શરૂ કરાઈ છે.