અંકલેશ્વર: વાલિયા રોડ પર ટેન્કરની ટક્કરે યુવાનું મોત, ગરબા રમી 3 યુવાનો બાઈક પર પરત ફરી રહ્યા હતા

ટેન્કરે યુવાનોની બાઇકને ટક્કર મારી ફંગોળી દીધા હતા.અકસ્માતમાં બાઈક સવાર વિશાલ તાવીવાડનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું

New Update

અંકલેશ્વર વાલિયા રોડ પર સર્જાયો અકસ્માત

હીટ એન્ડ રનની ઘટના સામે આવી

ટેન્કરની ટકકરે બાઈક સવાર યુવાનું મોત

અન્ય 2 યુવાનોને પહોંચી ઇજા

અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર

અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર હીટ એન્ડ રનની ઘટના સામે આવી હતી ગરબે ઘૂમી પરત જતા  બાઈક સવાર 3 યુવાનોને ટેન્કર ચાલકે ટક્કર મારતા એક યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું
 
અંકલેશ્વરના કોસમડી ગામની સાગર પાર્ક સોસાયટીમાં રહેતા ૧૮ વર્ષીય વિશાલ  તાવીયાડ અને તેના મિત્ર સૌરવકુમાર વસાવા તેમજ ધ્રુવકુમાર શાંતિલાલ પ્રજાપતિ સહીત અન્ય યુવાનો સાથે નવદુર્ગા ગરબા ગ્રાઉન્ડ ખાતે ગરબા રમવા ગયા હતા જ્યાં ગરબામાં ધૂમી મળસ્કે ચાર કલાકે ગરબા પૂર્ણ થતા કાપોદ્રા  પાટિયા પાસે ચા-નાસ્તો કરવા માટે વિશાલ તાવીવાડની બાઈક પર સૌરવ અને ધ્રુવ ગયા હતા.
જ્યાં ચા નાસ્તો કરી ત્રણેય મિત્રો કાપોદ્રા પાટિયાથી ગોપાલ નગર ખાતે મિત્રને મુકવા જઈ રહ્યા હતા તે દરમિયાન અંબે ગ્રીન સોસાયટી પાસે સામેથી આવતા ટેન્કરે યુવાનોની બાઇકને ટક્કર મારી ફંગોળી દીધા હતા.અકસ્માતમાં બાઈક સવાર વિશાલ તાવીવાડનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
જયારે અન્ય મિત્રોને ઈજાઓ પહોંચી હતી જેઓને સારવાર અર્થે અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.અકસ્માત બાદ ફરાર થયેલ ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી જીઆઇડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ: નૈઋત્યના ચોમાસાનું આગમન, જિલ્લાના 6 તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ

ભરૂચ અને અંકલેશ્વરમાં વિધિવત ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો સમી સાંજના સમયે જિલ્લાના 9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

New Update

ભરૂચમાં નૈઋત્યના ચોમાસાનું આગમન

સમી સાંજના સમયે વરસાદ વરસ્યો

9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો

ગાજવીજ સાથે વરસાદ

વાતાવરણમાં ઠંડક

ભરૂચ અને અંકલેશ્વરમાં વિધિવત ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો સમી સાંજના સમયે જિલ્લાના 9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ અને અંકલેશ્વરના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો ગતરોજની જેમ રવિવારે પણ બપોર બાદ કાળા દિબાગ વાદળોની ફોજ આવી પહોંચી હતી અને પવન સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ઉકળાટ તેમજ બફારાથી રાહત મળી હતી. રવિવારની રજા લોકોએ વરસાદની મજા વચ્ચે માણી હતી નૈઋત્યનું ચોમાસું વિધિવત રીતે બેસી ગયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો ભરૂચ જિલ્લામાં સાંજના સમયે વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો વાલિયામાં 20 મિમી,નેત્રંગમાં 19 મિમી, હાંસોટમાં 14 મિમી,ઝઘડિયા 5 મિમી, ભરૂચ 4 મિમી,અંકલેશ્વરમાં 2 મિમી વરસાદ નોંધાયો હતો.સત્તાવાર ચોમાસું શરૂ થતાં પહેલાં જ અત્યાર સુધી મૌસમનો કુલ 16.22 ટકા વરસાદ નોંધાયો છે.