અંકલેશ્વર: વાલિયા રોડ પર ટેન્કરની ટક્કરે યુવાનું મોત, ગરબા રમી 3 યુવાનો બાઈક પર પરત ફરી રહ્યા હતા

ટેન્કરે યુવાનોની બાઇકને ટક્કર મારી ફંગોળી દીધા હતા.અકસ્માતમાં બાઈક સવાર વિશાલ તાવીવાડનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું

New Update

અંકલેશ્વર વાલિયા રોડ પર સર્જાયો અકસ્માત

Advertisment

હીટ એન્ડ રનની ઘટના સામે આવી

ટેન્કરની ટકકરે બાઈક સવાર યુવાનું મોત

અન્ય 2 યુવાનોને પહોંચી ઇજા

અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર

અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર હીટ એન્ડ રનની ઘટના સામે આવી હતી ગરબે ઘૂમી પરત જતા  બાઈક સવાર 3 યુવાનોને ટેન્કર ચાલકે ટક્કર મારતા એક યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું
Advertisment
 
અંકલેશ્વરના કોસમડી ગામની સાગર પાર્ક સોસાયટીમાં રહેતા ૧૮ વર્ષીય વિશાલ  તાવીયાડ અને તેના મિત્ર સૌરવકુમાર વસાવા તેમજ ધ્રુવકુમાર શાંતિલાલ પ્રજાપતિ સહીત અન્ય યુવાનો સાથે નવદુર્ગા ગરબા ગ્રાઉન્ડ ખાતે ગરબા રમવા ગયા હતા જ્યાં ગરબામાં ધૂમી મળસ્કે ચાર કલાકે ગરબા પૂર્ણ થતા કાપોદ્રા  પાટિયા પાસે ચા-નાસ્તો કરવા માટે વિશાલ તાવીવાડની બાઈક પર સૌરવ અને ધ્રુવ ગયા હતા.
જ્યાં ચા નાસ્તો કરી ત્રણેય મિત્રો કાપોદ્રા પાટિયાથી ગોપાલ નગર ખાતે મિત્રને મુકવા જઈ રહ્યા હતા તે દરમિયાન અંબે ગ્રીન સોસાયટી પાસે સામેથી આવતા ટેન્કરે યુવાનોની બાઇકને ટક્કર મારી ફંગોળી દીધા હતા.અકસ્માતમાં બાઈક સવાર વિશાલ તાવીવાડનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
જયારે અન્ય મિત્રોને ઈજાઓ પહોંચી હતી જેઓને સારવાર અર્થે અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.અકસ્માત બાદ ફરાર થયેલ ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી જીઆઇડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Advertisment
Read the Next Article

ભરૂચ: જંબુસના મગણાદ ગામના 10 દિવસથી ગુમ વ્યક્તિનું  કંકાલ મળી આવ્યું,પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

ભરૂચના જંબુસર તાલુકાના મગણાદ ગામના રહેવાસી નરેન્દ્ર રામસિંહ રાજ નામના 10 દિવસથી ગુમ થયેલા વ્યક્તિનું કંકાલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

New Update
Screenshot_2025-05-31-10-00-11-72_92460851df6f172a4592fca41cc2d2e6

ભરૂચના જંબુસર તાલુકાના મગણાદ ગામના રહેવાસી નરેન્દ્ર રામસિંહ રાજ નામના 10 દિવસથી ગુમ થયેલા વ્યક્તિનું કંકાલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

Advertisment
કંકાલ જંબુસર નજીક આવેલા ઇન્ડિયન પેટ્રોલ પંપના પાછળના ભાગમાંથી મળી આવ્યો હતો. નરેન્દ્ર રામસિંહ રાજ છેલ્લા દસ દિવસથી ગુમ થયેલા હતા.
પરિવારજનો અને ગામલોકો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ કોઈ ભાળ મળી નહતી.જે બાદ ગતરોજ ઇન્ડિયન પેટ્રોલ પંપના પાછળના વિસ્તારમાંથી દુર્ગંધ આવતી હોવાના સંકેત મળતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી જંબુસર પોલીસને ત્યાં કંકાલ મળી આવ્યું હતું. પોલીસે તાત્કાલિક કંકાલને પોસ્ટમોર્ટમ માટે જંબુસર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડયો હતો.
પોલીસે મોતનું કારણ શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Advertisment
Advertisment