અંકલેશ્વર: પ્રતિન ચોકડી ઓવરબ્રિજ પર જીપ અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈકચાલકને ઇજા

પ્રતિન ચોકડી ઓવરબ્રિજ પર કંપનીના કર્મચારીઓને લઈ જઈ રહેલ જીપ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકને ઈજા પહોંચી ઈજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

New Update
  • અંકલેશ્વરના પ્રતિન ચોકડી ઓવરબ્રિજની ઘટના

  • બાઈક અને જીપ વચ્ચે અકસ્માત

  • બાઈકચાલકને ઇજા પહોંચતા સારવાર હેઠળ

  • અકસ્માતના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો

  • પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી

Advertisment
અંકલેશ્વરના પ્રતિન ચોકડી ઓવર બ્રિજ પર જીપ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જતા બાઇક ચાલકને ઈજા પહોંચી હતી જેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માત સર્જાયા બાદ અંકલેશ્વરના પ્રતિન ચોકડી ઓવર બ્રિજ પર પણ અકસ્માતની ઘટના સામે આવી હતી.
પ્રતિન ચોકડી ઓવરબ્રિજ પર કંપનીના કર્મચારીઓને લઈ જઈ રહેલ જીપ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ તરફ અકસ્માતના પગલે પ્રતિન ચોકડી ઓવરબ્રિજ પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વાહન વ્યવહાર પૂર્વવ્રત કરાવ્યો હતો.
Advertisment
Read the Next Article

અંકલેશ્વર : જલારામ મંદિરથી નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ ખોરંભે ચઢ્યું, સ્થાનિકો-રાહદારીઓને હાલાકી...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ છેલ્લા 4 મહિનાથી ખોરંભે ચઢતા સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

New Update

છેલ્લા 4 મહિનાથી ચાલતી કામગીરી બંધ થઈ

Advertisment

લોકોમાં ધીમી કામગીરીને લઈને ફેલાયો છે રોષ

કમોસમી માવઠાને લઈ ડાઈવર્ઝન માર્ગ બિસ્માર

નાળાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માંગ ઉઠી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ છેલ્લા 4 મહિનાથી ખોરંભે ચઢતા સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી અને નવા દીવા ગામના માર્ગ પર જલારામ મંદિર સ્વર્ણિમ લેક-વ્યુ પાર્ક નજીક  વર્ષો જૂનું નાળું આવેલું છે. જે બિસ્માર નાળાના નવીનીકરણની કામગીરી 4 મહિના પહેલા ભરૂચ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઈજારો આપી શરૂ કરાવવામાં આવી હતી. જોકે4-4 મહિના થઈ ગયા હોવા છતાં ગોકળ ગતિએ ચાલતી કામગીરીને લઇ સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તાજેતરમાં જ આવેલ કમોસમી વરસાદને લઇ માર્ગની બાજુમાં આપેલ ડાઈવર્ઝનનું પણ ધોવાણ થતાં ત્યાંથી વાહનો પસાર કરવું મુશ્કેલ બન્યું છે. છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી અટકેલ કામગીરી શરૂ કરાવવા માટે લોકો રસ્તે ઉતરી આવ્યા હતા. આ અંગે નવી દીવી ગામના રહેવાસીએ જણાવ્યું હતું કેછેલ્લા 4 મહિનાથી અટકી ગયેલી કામગીરી અને ડાઈવર્ઝન માર્ગ પણ અત્યંત બિસ્માર બન્યો છે. અહી 2 ગામ તેમજ વિવિધ સોસાયટીના રહીશોને આવાગમન કરવામાં ભારે અગવડતા ઉભી થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કેચોમાસું બેસવાને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છેત્યારે હવે આ અધૂરી કામગીરીને તાકીદે શરૂ કરવામાં આવે તેવી સ્થાનિકો સહિત રાહદારીઓ માંગ કરી રહ્યા છે.

Advertisment