અંકલેશ્વર : કાળઝાળ ગરમી વચ્ચે ઔદ્યોગિક એકમોમાં બરફની માંગમાં વધારો, રોજના આટલા ટન’ થાય છે બરફનું વેચાણ..!

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ગરમીના વધતા પારા વચ્ચે ઔદ્યોગિક એકમમાં કાર્યરત બરફ ઉદ્યોગમાં તેજી આવી છે. ઠંડા પીણામાં વપરાતા બરફની માંગમાં વધારો થતા બરફનું વેચાણ વધ્યું છે.

New Update
  • અંકલેશ્વર પંથકમાં ઊંચે ચઢતો ગરમીનો પારો

  • અસહ્ય ગરમીના કારણે બરફની માંગમાં વધારો

  • વિવિધ ઉદ્યોગોમાં બરફની માંગમાં વધારો થયો

  • કેમિકલ અને ફાર્મા ઉદ્યોગમાં બરફની માંગ વધી

  • હજારો લીટર પાણીના ઉપયોગથી બનતો બરફ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા છે. તો બીજી તરફબરફની માંગમાં પણ વધારો થયો છે. કાળઝાળ ગરમીમાં કેમિકલ અને ફાર્મા ઉદ્યોગોમાં ટેમ્પરેચર મેઇન્ટેઇન કરવા માટે બરફની ખૂબ માંગ વધી છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ગરમીના વધતા પારા વચ્ચે ઔદ્યોગિક એકમમાં કાર્યરત બરફ ઉદ્યોગમાં તેજી આવી છે. ઠંડા પીણામાં વપરાતા બરફની માંગમાં વધારો થતા બરફનું વેચાણ વધ્યું છે. અંકલેશ્વર ઔદ્યોગિક એકમમાં કાર્યરત મોટાભાગના ઉદ્યોગોમાં કેમિકલઇન્ટરમીડીયેટફાર્મા અને ડાઇઝ સહિતની કંપનીઓમાં કાળઝાળ ગરમી દરમ્યાન ટેમ્પરેચર મેઇન્ટેઇન કરવા માટે બરફની ખૂબ માંગ રહેતી હોય છે. અંકલેશ્વર ખાતેની આઇસ ફેક્ટરીમાં એક દિવસમાં બરફની 250થી 300 પ્લેટ તૈયાર થાય છેજેમાં અંદાજિત 30થી 35 ટન બરફનું વેચાણ થાય છે. ઉદ્યોગપતિ સમદ ખેરાણીએ જણાવ્યુ હતું કેઅંકલેશ્વરમાં વધતી જતી ગરમી વચ્ચે બરફની માંગમાં વધારો થયો છે.

એશિયન આઈસ ફેક્ટરીમાં બરફ બનાવવામાં 55થી 60 કલાકનો સમય લાગે છે.  બરફ બનાવવામાં કુલ 3 હજાર લિટર પાણીનો વપરાશ થાય છે. 1 કેનમાં 100 લિટર પાણી વપરાય છે. જોકેકેન મેઈન્ટેનન્સ માટે 90 દિવસનું શટડાઉન હોય, ત્યારે બહારથી ટેન્કર મંગાવવા પડે છે. આમ હવે ઉનાળાની કાળઝાળ ગરમી દરમ્યાન ઉદ્યોગોમાં પણ બરફની માંગમાં વધારો નોંધાયો છે.

Read the Next Article

અંકલેશ્વર : સુરવાડી ગામે દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં રોષ,નિયમિત પાણી ન મળતા ઉભો પાક સુકાઈ જવાની ભીતી

સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવાય જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો

author-image
By Connect Gujarat Desk
New Update
  • અનિયમિત વીજ પુરવઠાએ ખેડૂતોમાં ચિંતા વધારી

  • વીજળી ખોરવાતા સિંચાઇની સમસ્યા પણ ઘેરી બની

  • ખેતરમાં ઉભા પાકમાં પાણી આપવું બન્યું મુશ્કેલ

  • છેલ્લા દસ દિવસથી નથી મળી રહી વીજળી

  • ખેડૂતોની રજૂઆત બાદ પણ સમસ્યા યથાવત 

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે છેલ્લા દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે,જેના કારણે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતી વીજળી પણ ખેડૂતોને મળી રહી નથી,અને ખેતર માં ઉભો પાક સુકાઈ જવાની ભીતી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવા જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતો દ્વારા આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ખાતે રજૂઆત  બાદ પણ તેઓની સમસ્યાનું કોઈજ નિરાકરણ આવ્યું નથી.ખેતરમાં ઉભા પાકમાં સિંચાઈ માટે પાણી પણ તેઓ વીજ પુરવઠાના અભાવે આપી શકતા નથી.ત્યારે ઉભો પાક સુકાઈ ન જાય તે માટે ખેડૂતો દ્વારા પ્લાસ્ટિકના ડબ્બાથી પાકમાં પાણી નાખવાની નોબત આવી છે.