અંકલેશ્વર : કાળઝાળ ગરમી વચ્ચે ઔદ્યોગિક એકમોમાં બરફની માંગમાં વધારો, રોજના આટલા ટન’ થાય છે બરફનું વેચાણ..!

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ગરમીના વધતા પારા વચ્ચે ઔદ્યોગિક એકમમાં કાર્યરત બરફ ઉદ્યોગમાં તેજી આવી છે. ઠંડા પીણામાં વપરાતા બરફની માંગમાં વધારો થતા બરફનું વેચાણ વધ્યું છે.

New Update
  • અંકલેશ્વર પંથકમાં ઊંચે ચઢતો ગરમીનો પારો

  • અસહ્ય ગરમીના કારણે બરફની માંગમાં વધારો

  • વિવિધ ઉદ્યોગોમાં બરફની માંગમાં વધારો થયો

  • કેમિકલ અને ફાર્મા ઉદ્યોગમાં બરફની માંગ વધી

  • હજારો લીટર પાણીના ઉપયોગથી બનતો બરફ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા છે. તો બીજી તરફબરફની માંગમાં પણ વધારો થયો છે. કાળઝાળ ગરમીમાં કેમિકલ અને ફાર્મા ઉદ્યોગોમાં ટેમ્પરેચર મેઇન્ટેઇન કરવા માટે બરફની ખૂબ માંગ વધી છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ગરમીના વધતા પારા વચ્ચે ઔદ્યોગિક એકમમાં કાર્યરત બરફ ઉદ્યોગમાં તેજી આવી છે. ઠંડા પીણામાં વપરાતા બરફની માંગમાં વધારો થતા બરફનું વેચાણ વધ્યું છે. અંકલેશ્વર ઔદ્યોગિક એકમમાં કાર્યરત મોટાભાગના ઉદ્યોગોમાં કેમિકલઇન્ટરમીડીયેટફાર્મા અને ડાઇઝ સહિતની કંપનીઓમાં કાળઝાળ ગરમી દરમ્યાન ટેમ્પરેચર મેઇન્ટેઇન કરવા માટે બરફની ખૂબ માંગ રહેતી હોય છે. અંકલેશ્વર ખાતેની આઇસ ફેક્ટરીમાં એક દિવસમાં બરફની 250થી 300 પ્લેટ તૈયાર થાય છેજેમાંઅંદાજિત 30થી 35 ટનબરફનું વેચાણ થાય છે.ઉદ્યોગપતિ સમદ ખેરાણીએ જણાવ્યુ હતું કેઅંકલેશ્વરમાં વધતી જતી ગરમી વચ્ચે બરફની માંગમાં વધારો થયો છે.

એશિયન આઈસ ફેક્ટરીમાં બરફ બનાવવામાં 55થી 60 કલાકનો સમય લાગે છે.બરફ બનાવવામાં કુલ 3 હજાર લિટર પાણીનો વપરાશ થાય છે. 1 કેનમાં 100 લિટર પાણી વપરાય છે. જોકેકેન મેઈન્ટેનન્સ માટે 90 દિવસનું શટડાઉન હોય,ત્યારે બહારથી ટેન્કર મંગાવવા પડે છે. આમ હવે ઉનાળાની કાળઝાળ ગરમી દરમ્યાન ઉદ્યોગોમાં પણ બરફની માંગમાં વધારો નોંધાયો છે.

Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા, બિસ્માર માર્ગોના પગલે સમસ્યા

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વર નેશનલ હાઇવે

New Update
MixCollage-09-Jul-2025-08-21-PM-8778

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી પરનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે.બીજી તરફ ચોમાસુ જામતા જ હાઇવે પર ખાડાઓની ભરમાર છે.તેવામાં રોજેરોજ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.વાહનોનું ભારણ અને બ્રિજ જર્જરિત,રસ્તા પર ખાડાઓ પડતા વાહન ચાલકો પોતાનો કિંમતી સમય સાથે ઇંધણ બગાડી રહ્યા છે.દિવસે દિવસે માથાના દુખાવા સમાન બનેલ આ ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આવે તે જરૂરી છે.તંત્ર યોગ્ય નિરાકરણ લાવે એવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે