અંકલેશ્વર: રેલવે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધી આઇકોનીક માર્ગ નિર્માણ પામશે !

અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધી રૂપિયા 75 લાખના ખર્ચે નિર્માણ પામનાર આઇકોનિક માર્ગના કામનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું

New Update
  • અંકલેશ્વર નગર સેવા સદનનો પ્રયાસ

  • આઇકોનીક માર્ગનું કરાશે નિર્માણ

  • રેલવે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધી માર્ગ નિર્માણ પામશે

  • રૂ.75 લાખનો ખર્ચ કરવામાં આવશે

  • માર્ગની કામગીરીનું કરાયુ ખાતમુર્હુત

અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધી રૂપિયા 75 લાખના ખર્ચે નિર્માણ પામનાર આઇકોનિક માર્ગના કામનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા શહેરની શોભામાં અભિવૃદ્ધિ થાય તે હેતુસર અંકલેશ્વરના રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધી આઇકોનિક માર્ગનું નિર્માણ કરવામાં આવશે.આ માર્ગના કામનું ખાતમુહૂર્ત નગર સેવાસદનના પ્રમુખ લલીતાબેન રાજપૂરોહિત હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નગરપાલિકાની કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પટેલ, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ સહિત નગરસેવકો અને અધિકારીઓ તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.
રૂપિયા 75.34 લાખના ખર્ચે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધી આઇકોનિક માર્ગનું નિર્માણ કરવામાં આવશે જેમાં સાફ-સફાઈ,ડિજિટલ બોર્ડ, ફ્લડ લાઈટ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે. આ માર્ગ અંકલેશ્વરવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે
Read the Next Article

ભરૂચ: એ ડિવિઝન પોલીસે ગુમ અથવા ચોરી થયેલ રૂ.7.11 લાખની કિંમતનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યા

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા  CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી જેના આધારે ભરૂચ

New Update
Screenshot_2025-08-01-07-17-56-74_439a3fec0400f8974d35eed09a31f914

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા  CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી જેના આધારે ભરૂચ એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

પોલીસે કેન્દ્ર સરકારના સી.ઇ.આઈ.આર.પોર્ટલના માધ્યમથી ગુમ થઇ ગયેલ મોબાઇલ ફોન એકટીવ થયા હતા જેને સ્ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે.પોલીસે રૂ.77 હજારની કિંમતના 4 ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે.આ સાથે જ ચોરીમાં ગયેલ રૂ.6.40 લાખનો સોના ચાંદી સહિતનો મુદ્દામાલ મૂળ માલિકોનો પરત અપાવવામાં સફળતા મેળવી છે.