New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યુ આયોજન
અનુપમ મિશન દ્વારા આયોજન
અન્નકુટ દર્શનનો કાર્યક્રમ યોજાયો
સાધુ સંતો રહ્યા ઉપસ્થિત
ભક્તોએ દર્શનનો લીધો લાભ
અંકલેશ્વરના અનુપમ મિશન દ્વારા અન્નકુટ દર્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેના દર્શનનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો
અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ આદિત્ય નગર સોસાયટી સ્થિત ઉપાસનાધામ ખાતે સંત સાહેબ દાદા પ્રેરિત અનુપમ મિશન અંકલેશ્વર દ્વારા અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભગવાન સ્વામિનારાયણને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.આ પ્રસંગે સંત સતિષદાસજી, મણીદાસજી, રાજેશભાઈ અને રોહનભાઈ સહિતના આગેવાનો તેમજ અક્ષરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અન્નકૂટ દર્શનનો લ્હાવો લીધો હતો.
Latest Stories