અંકલેશ્વર: GIDCમાં આવેલ લાયન્સ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલમાં એન્યુઅલ સ્પોર્ટ્સ ડેની કરાય ઉજવણી !

અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં આવેલ લાયન્સ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે વાર્ષિક રમોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

New Update
  • અંકલેશ્વરની લાયન્સ સ્કૂલમાં ઉજવણી

  • એન્યુઅલ સ્પોર્ટ્સ ડેની કરાય ઉજવણી

  • મશાલ પ્રગટાવી રમતોત્સવનો કરાયો પ્રારંભ

  • બાળકોએ ઉત્સાહભેર લીધો ભાગ

  • આમંત્રીઓ અને આગેવાનો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં આવેલ લાયન્સ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે વાર્ષિક રમોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય તેમજ તેમનામાં રહેલી પ્રતિભા બહાર આવે તેવા હેતુથી અંકલેશ્વર જી.આઇ.ડી.સી લાયન્સ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે વાર્ષિક રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે મશાલ પ્રજવલિત કરી રમોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ રમોત્સવમાં શાળાના બાળકોએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો.આ રમત ગમત સ્પર્ધામાં વિજેતા બનેલ વિજેતાઓને પ્રોત્સાહિત ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું.આ વાર્ષિક રમોત્સવમાં શાળાના ટ્રસ્ટીઓ,શાળાના આચાર્ય તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
Read the Next Article

અંકલેશ્વર : શહેર ભાજપ યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું કરાયું આયોજન

અંકલેશ્વર શહેરમાં ભાજપ યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • શહેર ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાઈ 

  • ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે આયોજન

  • પાલિકા ડિસ્પેન્સરી ખાતે કરાયું રક્તદાન શિબિરનું આયોજન

  • ભાજપ જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • ભાજપના કાર્યકર્તાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન 

અંકલેશ્વર શહેરમાં ભાજપ યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર પાલિકા ડિસ્પેન્સરી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું,રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય ભારતીય જનસંઘના સંસ્થાપક ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું,આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રકતદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા,પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત તેમજ મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.