અંકલેશ્વર : પૌરાણિક તીર્થધામ રામકુંડ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણીના ભાગરૂપે સંતો-મહંતો માટે મહાપ્રસાદી યોજાય...

અંકલેશ્વર શહેરના રામકુંડ તીર્થધામના પ્રથમ મહંત ત્યાગી મહારાજ દ્વારા સંતો-મહંતો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું,

New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના પૌરાણીક તીર્થધામ રામકુંડ ખાતે આગામી ગુરુપૂર્ણિમાની ઉજવણીના ભાગરૂપે આજરોજ 500થી વધુ સંતો-મહંતો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર શહેરના રામકુંડ તીર્થધામના પ્રથમ મહંત ત્યાગી મહારાજ દ્વારા સંતો-મહંતો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતુંત્યારે આજે 75 વર્ષથી ગુરુપૂર્ણિમા નિમિત્તે સંતો-મહંતો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રામકુંડના મહંત ગંગાદાસજી બાપુએ 75 વર્ષથી ચાલી આવતી સંતોની મહાપ્રસાદીની પરંપરાને જાળવી રાખી છે. આ પરંપરાને આજે 76 વર્ષ થયા છે

ત્યારે આગામી રવિવારના રોજ ગુરુપૂર્ણિમાની ઉજવણીના ભાગરૂપે આજરોજ રામકુંડ તીર્થધામ ખાતે સંતો-મહંતો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારત ભ્રમણ કરતા 500થી વધુ સંતોએ મહાપ્રસાદીનો લ્હાવો લીધો હતો. રામકુંડ તીર્થધામના મહંત ગંગાદાસજી બાપુ દ્વારા મહાપ્રસાદી લેતા તમામ સંતોને દક્ષિણા તેમજ છત્રી અને રૂમાલનું પ્રસાદીના રૂપમાં વિતરણ પણ કર્યું હતું. આ સાથે જ ગંગાદાસજી બાપુ દ્વારા રામકુંડ ખાતે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ભક્તોજનોને મહાપ્રસાદીનો લ્હાવો લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજકોટના કથાકાર હરકીશનદાસજીસુરતના લોક સાહિત્યકાર ઘનશ્યામ પરમારરામકુંડના પ્રિયાંશુ મહારાજ સહીત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

 

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.