અંકલેશ્વર: મહારાષ્ટ્રથી બુલેટ ટ્રેન સાઇટ પર 5 ટ્રકમાં આવેલ રૂ.3 લાખના સળિયા ગાયબ થયા, ટ્રક ચાલકો સામે નોંધાઇ પોલીસ ફરિયાદ

ટ્રકનું સાઇટ પર વજન કરતા તેમાં ઘટ પડતા ટ્રક ચાલક અને ક્લીનરને પૂછવામાં આવતા તેઓ સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા. જે બાદ ટ્રક ચેક કરતા તેમના ટુલ બોક્સમાં માટીના કોથળા તેમજ મોટા પથ્થર મળી આવ્યા હતા

New Update
panoli polise
અંકલેશ્વર તાલુકાના આલુજ ગામ ખાતે આવેલ એલ.એન.ટી કંપનીની બુલેટ ટ્રેન સાઈડ પર 5 જેટલી ટ્રકના ચાલકો દ્વારા મહારાષ્ટ્ર રાયગઢ સ્થિત જિંદાલ સ્ટીલ જે.એસ.ડબ્લ્યુ માંથી લોખંડના સળિયા ભરી અંકલેશ્વર આલુજ સાઈડ પર આવ્યા હતા. જે ટ્રકનું સાઈડ પર વજન કરતા તેમાં ઘટ પડતા ટ્રક ચાલક અને ક્લીનરને પૂછવામાં આવતા તેઓ સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા. જે બાદ ટ્રક ચેક કરતા તેમના ટુલ બોક્સમાં માટીના કોથળા તેમજ મોટા પથ્થર મળી આવ્યા હતા. જે બાદ બિલ આધારે ચેક કરતા 5 ટ્રક માંથી 4767 કિલો સળિયા બારોબાર રસ્તામાં સગેવગે થઇ ગયા હોવાનું સામે આવ્યું હતું.
Advertisment
આ અંગે સી.જે ડાર્સલ લોજીસ્ટીક લિમિટેડ ટ્રાન્સપોર્ટના સિનિયર મેનેજર પવન કુમાર શર્મા દ્વારા પાનોલી પોલીસ મથકે ટ્રક ચાલક રમેશ રાજેન્દ્ર ચૌધરી,પ્રશાંતકુમાર સિંગ, વિજય બહાદુરસિંગ , હરિશંકર નારાયણ ઉપાધ્યાય, નિલેશ પાલ ગુરુદીનપાલ , સતીષ ચંદ કામતા પ્રસાદ યાદવ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી.4,767 કિલો સળિયા કિંમત 3 લાખ રૂપિયાના બારોબાર સગેવગે કરી ગુનાહિત વિશ્વાસઘાત કરવા બદલ તપાસ શરુ કરી ફરાર ટ્રક ચાલક અને ક્લિનરને ઝડપી પાડવાની કવાયત શરુ કરી હતી.
Advertisment
Latest Stories