અંકલેશ્વર : ભરૂચ એલસીબીએ જીઆઇડીસી ઓફિસ પાસેથી વિદેશી શરાબ ભરેલી કાર સાથે બે બુટલેગરની કરી ધરપકડ

બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને વાલિયા રોડને અડીને આવેલ જીઆઇડીસી ઓફિસ પાસેથી પોલીસે વિદેશી દારૂ ભરેલ સ્વીફ્ટ કાર અને આ કારનું પાયલોટિંગ કરતી ઈક્કો કાર ઝડપી પાડી

New Update
  • કારમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ

  • એલસીબી પોલીસે બે બુટલેગરની કરી ધરપકડ

  • સ્વીફ્ટ કારમાંથી ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો

  • દારૂ સહિત કુલ રૂ.10.02 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

  • પોલીસે અન્ય 13 બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યા    

અંકલેશ્વર વાલિયા રોડને અડીને આવેલ જીઆઇડીસી ઓફિસ પાસેથી ભરૂચ એલસીબી પોલીસની ટીમે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી,અને બે કાર સાથે બે બુટલેગરની ધરપકડ કરીને કુલ રૂપિયા 10 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સફેદ સ્વિફ્ટ કારમાં વાલિયાથી વિદેશી દારૂ ભરીને અંકલેશ્વર તરફ આવી રહી હોવાની બાતમી મળી હતી,જે ચોક્કસ બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને વાલિયા રોડને અડીને આવેલ જીઆઇડીસી ઓફિસ પાસેથી પોલીસે વિદેશી દારૂ ભરેલ સ્વીફ્ટ કાર અને આ કારનું પાયલોટિંગ કરતી ઈક્કો કાર ઝડપી પાડી હતી.

પોલીસે વાલિયાના ગભાણ ગામના બુટલેગર સતીષ વસાવા અને વિપુલ વસાવાની ધરપકડ કરી હતી.જ્યારે વિદેશી દારૂનો જથ્થો જ્યાં જ્યાં પહોંચાડવાનો હતો તે 13 જેટલા બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતાએલસીબી પોલીસે આ અંગે પ્રોહિબિશન એક્ટ હેઠળ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.અને બે બુટલગર સાથે વિદેશી દારૂ અને બિયર,સ્વીફ્ટ અને ઈક્કો કાર,મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ મળીને કુલ રૂપિયા 10 લાખ 2 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.અને વધુ તપાસ શરૂ કરી હતી.

Read the Next Article

ભરૂચ: અષાઢી બીજે 6 સ્થળોએથી નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, પોલીસ ડ્રોન કેમેરાથી રાખશે નજર

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે અષાઢી બીજના

New Update

ભરૂચમાં આવતીકાલે કરવામાં આવ્યું આયોજન

6 સ્થળોએથી રથયાત્રાનું આયોજન

પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત

ડ્રોન કેમેરાથી રાખવામાં આવશે નજર

700થી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવતીકાલે અષાઢી બીજના પાવન દિવસે ભરૂચ જિલ્લાભરમાં વિવિધ સ્થળોએ કુલ 6 રથયાત્રાઓ યોજાવાની છે. ભરૂચ શહેરમાં ત્રણ, અંકલેશ્વરમાં બે તથા ઝઘડિયામાં એક રથયાત્રા યોજાવાની છે. ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ભરૂચ શહેરની અતિ પૌરાણિક ગણાતી દત્ત મંદિરથી ભોઈવાડ સુધીની રથયાત્રાના માર્ગ પર આજે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ ફુરજા ચોકથી શરૂ થઈ લાલ બજાર, ચકલા, હાથીખાના બજાર, અને સોનેરીમહલ સુધી યોજાઈ હતી. સમગ્ર ફ્લેગ માર્ચ ડીવાયએસપી  સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી.રથયાત્રા દરમ્યાન પોલીસ બંદોબસ્તમાં 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 23 પીએસઆઈ, 456 હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ જવાનો સાથે 266 હોમગાર્ડનો સમાવેશ થાય છે. ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર યાત્રામાર્ગ ઉપર નજર રાખવામાં આવશે.