અંકલેશ્વર: BJP દ્વારા વિધાનસભાના સક્રિય કાર્યકરોનું સંમેલન યોજાયું, કોંગ્રેસના 50 કાર્યકરોએ કર્યા કેસરીયા

અંકલેશ્વર વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા સંમેલનનું માં શારદા ભવન ટાઉનહોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ સાંસદ રંજન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • ભાજપ દ્વારા આયોજન કરાયું

  • વિધાનસભાના સક્રિય કાર્યકરોનું સંમેલન યોજાયું

  • પૂર્વ સાંસદ રંજનબહેન ભટ્ટ રહ્યા ઉપસ્થિત

  • કોંગ્રેસના 50 કાર્યકરો જોડાયા

અંકલેશ્વર વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા સંમેલનનું માં શારદા ભવન ટાઉનહોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ સાંસદ રંજન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા
ભારતીય જનતા પાર્ટી દ્વારા તેના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે તમામ 182 વિધાનસભામાં સક્રિય કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત અંકલેશ્વર વિધાનસભાના સક્રિય કાર્યકર્તાઓનું સંમેલન અંકલેશ્વર શહેરમાં આવેલ મા શારદા ભવન ટાઉનહોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ કાર્યકર્તાઓને જનસંધથી લઈને ભાજપ સુધીની સફરનો ઇતિહાસ જણાવ્યો હતો અને માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કણા, અંકલેશ્વર નગર સેવાસદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિત જિલ્લા ભાજપના આગેવાનો તેમજ સક્રિય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે કોંગ્રેસના 50થી વધુ કાર્યકરોએ ભાજપમાં પ્રવેશ કર્યો હતો. આગેવાનો દ્વારા તેઓને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર આપવામાં આવ્યો હતો.
Read the Next Article

ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે લીંબુ છાપરી વિસ્તારમાં ચાલતા જુગારધામ પર પાડ્યા દરોડા, 7 જુગારીઓની ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમના કર્મચારીઓ શહેરમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે  ધોબી તળાવ લીંબુ છાપરી વિસ્તારમાં જશવંત શનાભ વસાવા નામનો વ્યક્તિ

New Update
ronber
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમના કર્મચારીઓ શહેરમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે  ધોબી તળાવ લીંબુ છાપરી વિસ્તારમાં જશવંત શનાભ વસાવા નામનો વ્યક્તિ બહારથી જુગારીઓને બોલાવી પોતાના ઘરમાં ભેગા કરી, પોતાના આર્થીક ફાયદા માટે પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમી રમાડે છે જેથી એલ.સી.બી ટીમ દ્વારા જુગાર અંગે સફળ રેઈડ કરી જુગાર રમતા ૦૭ આરોપીઓને રોકડા રૂપીયા, મોબાઈલ નંગ-૦૩ તથા જુગાર રમવાના સાધનો મળી કુલ કિંમત રૂ. ૪૭,૭૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુધ્ધ જુગાર ધારાની સંલગ્ન કલમો મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.મામલાની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ ચલાવી રહી છે.
ઝડપાયેલ આરોપીઓ
(૧) જશવંત શનાભાઇ વસાવા ઉ.વ.પર રહેવાસી.ધોબી તળાવ લીંમ્બુ છાપરી તા.જિ.ભરૂચ
(૨) લુકમાન સિદીક શેખ ઉ.વ.૩૨ રહેવાસી. સૈયદવાડ રોડ મુંડા ફળીયુ તા.જિ.ભરૂચ
(૩) પુર્વેશ ખોડાભાઇ વસાવા ઉ.વ. ૨૬ રહેવાસી. વાવ ફળીયુ બંબાખાના પાસે તા.જિ.ભરૂચ
(૪) જગદીશભાઇ મનુભાઈ વસાવા ઉ.વ.૩૨ રહેવાસી. ત્રણ કુવા પાસે નવી નગરી તા.જિ.ભરૂચ
(૫) કૌશીકભાઇ અશોકભાઇ વસાવા ઉ.વ.૨૦ રહેવાસી. લીંબુ છાપરી તા.જિ.ભરૂચ
(૬) ગૌતમ કમલેશભાઈ વસાવા ઉ.વ.૨૦ રહે. નનુમિયા નાળા પાસે કબ્રસ્તાન પાસે તા.જિ.ભરૂચ
(૭) અલ્પેશ સોમાભાઇ વસાવા ઉ.વ.૨૪ રહે. નનુમિયા નાળા પાસે કબ્રસ્તાન પાસે તા.જિ.ભરૂચ