અંકલેશ્વર: BJPના અન્ય ભાષાભાષી સેલ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો,બિહાર સ્થાપના દિવસની ઉજવણી !

ભરૂચ જિલ્લા ભાજપના અન્ય ભાષાભાષી સેલ દ્વારા બિહારના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરમાં સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

New Update
  • અંકલેશ્વરમાં ભાજપ દ્વારા કરવામાં આવ્યું આયોજન

  • બિહારના સ્થાપના દિવસની કરાઈ ઉજવણી

  • બિહારના મંત્રી જીવેશ મિશ્રા રહ્યા ઉપસ્થિત

  • રાજ્યકક્ષાના પ્રધાન પ્રફુલ પાનસેરીયા રહ્યા ઉપસ્થિત

  • સ્નેહમિલન અને રંગારંગ કાર્યક્રમ યોજાયા

અંકલેશ્વરમાં બિહારના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના અન્ય ભાષાભાષી સેલ દ્વારા અને સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આગામી ઓક્ટોબર અને નવેમ્બર માસમાં બિહાર વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા ભાજપના અન્ય ભાષાભાષી સેલ દ્વારા બિહારના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરમાં સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.
આ પ્રસંગે રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરીયા, બિહારના કેબિનેટ મંત્રી જીવેશ મિશ્રા, બિહારના રાજ્ય સભાના સાંસદ શંભુશરણ પટેલ, ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ,રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, ભાષાભાષી સેલના અધ્યક્ષ અશોક ઝા, કન્વીનર અનિલ શુકલા, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં મોટી સંખ્યામાં બિહારવાસીઓ વસવાટ કરે છે.ત્યારે તેઓ આ ચૂંટણીમાં મતદાન પ્રક્રિયામાં ભાગ લે અને ભારતીય જનતા પાર્ટી સરકારના કામો અને યોજનાઓનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Read the Next Article

ભરૂચ: ખાણ-ખનીજ વિભાગનો સપાટો, 7 દિવસમાં ખનીજ માફિયાઓના 8 વાહનો મળી રૂ.1.90 કરોડનો.મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન

New Update
MixCollage-16-Jun-2025-09-09-PM-1828

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યે થી કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ભુસ્તરશાસ્ત્રી  સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તા.૦૯ થી ૧૫ જુન ૨૦૨૫નાં દિવસ દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ- અલગ સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન વાગરા તાલુકાના પંખાજણ, ભરૂચ તાલુકાના ઝાડેશ્વર અને ઝઘડીયા તાલુકાના રાજપારડી- ઝધડીયા ખાતે કરવામાં આવેલી તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ, સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૮ વાહનોને સીઝ કરી કુલ-૧.૯૦કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન,ઝધડિયા પોલીસ સ્ટેશન, રાજપારડી પોલીસ સ્ટેશન અને વાગરા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જપ્ત કરી રાખવામાં આવ્યો છે.