અંકલેશ્વર: પાનોલી GIDCની JB કેમિકલસ કંપની દ્વારા રક્તદાન શિબિર યોજાય, 200 કર્મચારીઓએ કર્યું રક્તદાન

કંપનીના સી.ઇ.ઓ અને ડાયરેક્ટર નિખિલ ચોપડાની ઉપસ્થિતિમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો.જેમાં 200થી વધુ કર્મીઓએ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું

New Update
  • પાનોલી જીઆઇડીસીમાં કરાયુ આયોજન

  • જે.બી.કેમિકલ કંપની દ્વારા આયોજન

  • પ્રતિવર્ષ યોજાય છે રક્તદાન શિબિર

  • 200થી વધુ કર્મચારીઓએ કર્યું રક્તદાન

  • કંપની સત્તાધીશો રહ્યા ઉપસ્થિત

Advertisment
અંકલેશ્વરની પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ જે.બી.કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડ કંપનીમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો. દર વર્ષે અંકલેશ્વરની પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ જે.બી.કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડ કંપની દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે.જેના ભાગરૂપે આજરોજ કંપનીના સી.ઇ.ઓ અને ડાયરેક્ટર નિખિલ ચોપડાની ઉપસ્થિતિમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો.જેમાં 200થી વધુ કર્મીઓએ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું હતું.આ કેમ્પમાં અંદાજીત 250 યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવશે.
Advertisment
Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડ મામલે પોલીસ તપાસનો ધમધમાટ, કામના રિપોર્ટ પર સહી કરનાર અધિકારીઓ શંકાના ઘેરામાં !

ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મનરેગા અંતર્ગત થયેલા કામોમાં મોટાપાયે ગેરરીતિ સામે આવી છે. સમગ્ર મામલે હવે પોલીસ દ્રારા તપાસ હાથ ધરવામાં આવી છે.

New Update
  • ભરૂચમાં બહાર આવ્યું મનરેગા કૌભાંડ

  • 3 તાલુકામાં કૌભાંડ આચરાયું

  • એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે ફરિયાદ

  • પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

  • અનેક અધિકારીઓ પણ શંકાના ઘેરામાં

Advertisment
ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મનરેગા અંતર્ગત થયેલા કામોમાં મોટાપાયે ગેરરીતિ સામે આવી છે. સમગ્ર મામલે હવે પોલીસ દ્રારા તપાસ હાથ ધરવામાં આવી છે.
ભરૂચ જિલ્લાના ૩ તાલુકાઓમાં મનરેગા હેઠળ દર્શાવાયેલા કામોમાં સંભવિત કૌભાંડના ઈશારા મળતા પોલીસે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સહિત અન્ય સંકળાયેલી કચેરીઓ ધમરોળી છે. કૌભાંડમાં દર્શાવાયેલા કામોના તમામ દસ્તાવેજો પણ પોલીસે કબ્જે લઈ લીધા છે. આ કામોના રિપોર્ટ પર સહી કરનાર ઇજનેરો પણ હવે શંકાના ઘેરામાં આવી ગયા છે. પોલીસ આ ઉપરાંત તમામ અધિકારીઓ અને કર્મચારીઓના નિવેદન લઈ રહી છે જેમના હસ્તાક્ષર હેઠળ ફાઈલો પસાર થઈ હતી. આ તરફ અધિકારીઓ અને કર્મચારીઓ પોલીસને તપાસમાં સહયોગ ન આપતા હોવાનો પણ ગણગણા શરૂ થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના જંબુસર આમોદ અને હાસોટ તાલુકાના ગામોમાં મનરેગા યોજના હેઠળ થયેલા કામોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઈ છે ત્યારે હવે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ તપાસમાં આવનારા દિવસોમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે
Advertisment