અંકલેશ્વર: યુવા મિત્ર મંડળ અને રામકુંડ તીર્થધામ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું

અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર આવેલ શ્રી સિધ્ધ ટેકરી,રામકુંડ તીર્થધામ તેમજ યુવા મિત્ર મંડળ દ્વારા સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ યોજાયો

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • રક્તદાન શિબિરનું આયોજન

  • યુવામિત્ર મંડળ-રામકુંડ તીર્થધામ દ્વારા આયોજન

  • રક્તદાતાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન

  • ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર આવેલ શ્રી સિધ્ધ ટેકરી,રામકુંડ તીર્થધામ તેમજ યુવા મિત્ર મંડળ દ્વારા સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ યોજાયો
અંકલેશ્વરના શ્રી સિધ્ધ ટેકરી,રામકુંડ તીર્થધામ તેમજ યુવા મિત્ર મંડળ દ્વારા અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર આવેલ રામકુંડ તીર્થધામ ખાતે રવિવારના રોજ  સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ યોજાયો.જેમાં ઉત્સાહ ભેર યુવાનો અને આગેવાનોએ રક્તદાન કર્યું હતું.આ રક્તદાન કેમ્પમાં અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો તેમજ યુવામિત્ર મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

અંકલેશ્વર: હાંસોટના સુણેવ ગામ નજીક વૃક્ષ માર્ગ પર ધરાશયી, સ્ટેટ હાઇવે પરનો વાહનવ્યવહાર પ્રભાવિત

અંકલેશ્વરથી  સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર સુણેવ ગામ નજીક વિશાળ વૃક્ષ માર્ગ પર ધારાશયી થઈ ગયું હતું જેના કારણે સ્ટેટ હાઇવે પરનો વાહનવ્યવહાર પ્રભાવિત થયો

New Update
Tree Collapse
ભરૂચના હાંસોટ અને અંકલેશ્વર પંથકમાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.હાંસોટ પંથકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ત્યારે અંકલેશ્વરથી  સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર સુણેવ ગામ નજીક વિશાળ વૃક્ષ માર્ગ પર ધારાશયી થઈ ગયું હતું જેના કારણે સ્ટેટ હાઇવે પરનો વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. વૃક્ષ મુખ્યમાર્ગ પર પડતાં બન્ને તરફ વાહનોની લાંબી લાઈન લાગી હતી. બનાવની જાણ થતા તંત્રના અધિકારીઓ દોડી આવ્યા હતા અને માર્ગ પર પડેલા વૃક્ષને બાજુ પર હટાવી રસ્તો પુનઃ કાર્યાન્વિત કરાયો હતો.