અંકલેશ્વર: બોર્ડના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી કેન્દ્રમાં પ્રવેશ અપાયો, આગેવાનો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર શહેર અને જી.આઈ.ડી.સી.માં આવેલ બોર્ડ કેન્દ્રો બોર્ડના ખાતે પરીક્ષાર્થીઓને ફૂલ અને કુમકુમ તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો 

New Update
  • આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ

  • અંકલેશ્વરમાં શાંતિપૂર્ણ માહોલમાં થયો પ્રારંભ

  • પરીક્ષા કેન્દ્રો બહાર ચુસ્ત બંદોબસ્ત

  • કુમકુમ તિલક કરી વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ

  • અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર શહેર અને જી.આઈ.ડી.સી.માં આવેલ બોર્ડ કેન્દ્રો બોર્ડના ખાતે પરીક્ષાર્થીઓને ફૂલ અને કુમકુમ તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો 
આજથી ધોરણ-10 અને 12 બોર્ડની પરીક્ષાનો અંકલેશ્વરમાં પ્રારંભ થયો છે ત્યારે સવારના સમયે અંકલેશ્વર શહેરની એમટીએમ અને ઈ.એન.જીનવાલા શાળા સ્થિત બોર્ડ કેન્દ્ર ખાતે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના,પાલિકાના કારોબારી ચેરમેન નીલેશ પટેલ,શિક્ષણ સમિતિના ચેરમેન વિરલ મકવાણા સહિતના આગેવાનોએ પરીક્ષાર્થીઓને ફૂલ અને કુમકુમ તિલક લગાવી પ્રવેશ આપવામાં આવ્યો હતો.જયારે જી.આઈ.ડી.સી.ની ગટ્ટુ વિદ્યાલય ખાતે નોટીફાઈડ એરિયા યુવા ભાજપ પ્રમુખ જય તરૈયા સહિતના આગેવાનોએ ફૂલ અને કુમકુમ તિલક લગાવી પ્રવેશ આપવામાં આવ્યો હતો.
#Gujarat #CGNews #Students #Ankleshwar #board exam
Latest Stories
Read the Next Article

ભરૂચ : ભારતીય સેનામાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા ઝઘડી...

ભરૂચ : ભારતીય સેનામાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા ઝઘડીયા-ઉમધરાના જવાનનું રાજપારડી ખાતે ભવ્ય સ્વાગત કરાયું...

જવાન 18 વર્ષ સુધી અલગ અલગ સ્થળે ભારતીય સેનામાં ફરજ બજાવી ચૂક્યા છે, ત્યારે સ્વાગત કરાયા બાદ આર્મી મેન માદરે વતન ઉમધરા ગામ ખાતે રેલી સ્વરૂપે પહોચ્યા

New Update
  • રાજપારડીના ચાર રસ્તા ખાતે યોજાયો સન્માન કાર્યક્રમ

  • ભારતીય સેનામાં ઉત્કૃષ્ટ ફરજ બજાવી જવાનની નિવૃત્તિ

  • વતન આવેલા જવાનનું ફુલહાર પહેરાવી સ્વાગત કરાયું

  • જવાનના માદરે વતન ઉમધરા ગામે ભવ્ય રેલી યોજાય

  • દેશ સેવામાં આપેલા યોગદાન બદલ શુભેચ્છા પાઠવાય

ભરૂચ જિલ્લાના રાજપારડી ખાતે ભારતીય સેનામાં ફરજ બજાવી નિવૃત્ત થઈ વતન પરત આવેલા જવાનનું ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમધરા ગામના વતની અને હાલ ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન સત્યપાલસિંહ રાજેન્દ્રસિંહ અટાલિયા નિવૃત્ત થતાં તેઓ વતન પરત ફર્યા હતાત્યારે તેઓના સન્માનમાં રાજપારડી ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.

રાજપારડી ચાર રસ્તા ખાતે સત્યપાલસિંહ અટાલિયાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ 18 વર્ષ સુધી અલગ અલગ સ્થળે ભારતીય સેનામાં ફરજ બજાવી ચૂક્યા છેત્યારે સ્વાગત કરાયા બાદ આર્મી મેન માદરે વતન ઉમધરા ગામ ખાતે રેલી સ્વરૂપે પહોચ્યા હતાજ્યાં ગ્રામજનોએ સન્માન સમારોહ યોજી દેશ સેવામાં આપેલા યોગદાન બદલ સત્યપાલસિંહ અટાલિયાને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે મોટી સખ્યામાં ગ્રામજનો જોડાઈ દેશ ભક્તિના રંગે રંગાયા હતા.