New Update
-
આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ
-
અંકલેશ્વરમાં શાંતિપૂર્ણ માહોલમાં થયો પ્રારંભ
-
પરીક્ષા કેન્દ્રો બહાર ચુસ્ત બંદોબસ્ત
-
કુમકુમ તિલક કરી વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ
-
અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર શહેર અને જી.આઈ.ડી.સી.માં આવેલ બોર્ડ કેન્દ્રો બોર્ડના ખાતે પરીક્ષાર્થીઓને ફૂલ અને કુમકુમ તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો
આજથી ધોરણ-10 અને 12 બોર્ડની પરીક્ષાનો અંકલેશ્વરમાં પ્રારંભ થયો છે ત્યારે સવારના સમયે અંકલેશ્વર શહેરની એમટીએમ અને ઈ.એન.જીનવાલા શાળા સ્થિત બોર્ડ કેન્દ્ર ખાતે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના,પાલિકાના કારોબારી ચેરમેન નીલેશ પટેલ,શિક્ષણ સમિતિના ચેરમેન વિરલ મકવાણા સહિતના આગેવાનોએ પરીક્ષાર્થીઓને ફૂલ અને કુમકુમ તિલક લગાવી પ્રવેશ આપવામાં આવ્યો હતો.જયારે જી.આઈ.ડી.સી.ની ગટ્ટુ વિદ્યાલય ખાતે નોટીફાઈડ એરિયા યુવા ભાજપ પ્રમુખ જય તરૈયા સહિતના આગેવાનોએ ફૂલ અને કુમકુમ તિલક લગાવી પ્રવેશ આપવામાં આવ્યો હતો.
Latest Stories