અંકલેશ્વર: તહેવારોમાં ચોરીના બનાવો અટકાવવા દરેક જવેલરી શોપમાં CCTV કેમેરા ફરજિયાત

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે જવેલર્સ એસોસિએશનના વેપારીઓ સાથે બેઠક મળી જેમાં તહેવારોના સમયમાં ચોરી અને ચીલઝડપના બનાવો અટકાવવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

New Update

અંકલેશ્વરમાં યોજાય બેઠક 

Advertisment

એ ડિવિઝન પોલીસ મથક ખાતે બેઠકનું આયોજન

ચોરી અને ચીલઝડપના બનાવો અટકાવવા કવાયત

જવેલર્સને ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવવા સૂચના

તહેવારોને ધ્યાનમાં રાખી વિશેષ તકેદારી

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે જવેલર્સ એસોસિએશનના વેપારીઓ સાથે બેઠક મળી જેમાં તહેવારોના સમયમાં ચોરી અને ચીલઝડપના બનાવો અટકાવવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી
Advertisment
આગામી તહેવારોના સમયમાં ચોરી અને ચીલઝડપના બનાવો બનતા હોય છે જેમાં તસ્કર ટોળકી જ્વેલર્સ અને જવેલરી શોપને ટાર્ગેટ કરતી હોય છે ત્યારે નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં ચોરી અને ચીલઝડપ જેવી ઘટનાઓ અટકાવવા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે પી.આઈ.પી.જી.ચાવડાની અધ્યક્ષતામાં જવેલર્સ એસો.ની બેઠક મળી હતી.જેમાં સુરક્ષાને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આ બેઠકમાં જવેલર્સ એસોસિએશનના સભ્યોને તમામ દુકાનોમાં સીસીટીવી કેમેરા લગાવવા પી.આઈ.પી.જી.ચાવડાએ સૂચન કર્યું.આ બેઠકમાં વાઇસ પ્રેસિડેન્ટ વિનોદ સોની અને સભ્યો તેમજ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
Advertisment
Read the Next Article

અંકલેશ્વર: GIDCમાં આવેલ કમલમ ગાર્ડન ખાતે કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ શિબિર યોજાય

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ કમલમ ગાર્ડન ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • કમલમ ગાર્ડન ખાતે શિબિર યોજાય

  • કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ શિબિર યોજાય

  • વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજન

  • મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા

Advertisment
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ કમલમ ગાર્ડન ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું
તારીખ 21મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ કમલમ ગાર્ડન ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યોગ ટ્રેનરો દ્વારા યોગ વીરો અને વિવિધ યોગાસન કરાવવામાં આવ્યા હતા. સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા   મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.સદર કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સભ્યો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહયા હતા.
Advertisment