ભરૂચના વાલિયાના કોઢ ગામ નજીકથી મળ્યો હતો મૃતદેહ
મહિલાનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો
મહિલાની હત્યા તેના જ પતિએ કરી હોવાનો ખુલાસો
ધારદાર હથિયાર વડે ગળું કાપી હત્યા કરાય
પોલીસે હત્યારા પતિની કરી ધરપકડ
ભરૂચના વાલીયાના કોંઢ ગામ નજીકથી મળી આવેલ મહિલાના મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે.મહિલાની હત્યા તેના જ પતિએ કરી હોવાનું બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચના વાલીયા તાલુકાના કોંઢ ગામ નજીકથી મહિલાનો ગળું કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.આ અંગેની જાણ થતા જ વાલિયા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બનાવ સંદર્ભે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.આ તપાસમાં ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ હતી ત્યારે પોલીસ સમક્ષ સૌથી મોટો પડકાર મહિલાની ઓળખ કરવાનો હતો જોકે પોલીસે સોશિયલ મીડિયામાં મહિલાનો ફોટો શેર કરી તેની ઓળખ માટેના ચક્રોગતિમાન કર્યા હતા.
જેમાં મૃતક મહિલા અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ શિવકૃપા બંગલોઝમાં રહેતા અને મૂળ લખનઉની રુચિ અવસ્થિ હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે પોલીસે તપાસ કરતાં ચોકાવનારો ખુલાસો થયો હતો.આ મામલામાં મહિલાની હત્યા તેના જ પતિ રાજેન્દ્ર શ્રીવાસ્તવે કરી હોવાનું બહાર આવ્યુ હતું. રાજેન્દ્ર શ્રીવાસ્તવની પ્રથમ પત્નીનું વર્ષ 2018માં હૃદયરોગના હુમલામાં મૃત્યુ થતાં મેટ્રિમોનીયલ સાઇટ મારફતે વર્ષ 2019માં તેણે રુચિ અવસ્થિ સાથે લગ્ન કર્યા હતા.
જોકે વારંવાર થતાં ઘર કંકાસમાં ઉશ્કેરાઈ જઈ રાજેન્દ્ર શ્રીવાસ્તવે ઘરમાં રહેલ ધારદાર હથિયાર વડે રુચિ અવસ્થિનું ગળું કાપી તેની હત્યા કરી નાખી હતી ત્યારબાદ મૃતદેહને ચાદરમાં લપેટી અંકલેશ્વરથી વાઢીયાના કોંઢ ગામ નજીક આવ્યો હતો અને ત્યાં નાાળામાં મૃતદેહનો નિકાલ કરી ત્યાંથી રવાના થઈ ગયો હત.આ મામલામાં પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેન્સના આધારે આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.