અંકલેશ્વર: બાળ ગણેશની થીમ પર ગણેશ મહોત્સવની ઉજવણી, બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર

અંકલેશ્વર શહેરમાં માલી ખડકી યુવક મંડળ દ્વારા બાળ ગણેશની થીમ પર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે

New Update

અંકલેશ્વર શહેરમાં માલી ખડકી યુવક મંડળ દ્વારા બાળ ગણેશની થીમ પર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે

ભરૂચ અને અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગણેશ મંડળો દ્વારા અવનવી થીમ પર આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. અંકલેશ્વર શહેરના માલિ ખડકી યુવક મંડળ દ્વારા બાળ ગણેશની થીમ પર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ કાર્ટૂન કેરેક્ટર ગણેશ પંડાલમાં મૂકવામાં આવ્યા છે તો શ્રીજીની સાથે ભગવાન શ્રીકૃષ્ણ અને પવનપુત્ર હનુમાનજીનું પ્રતિમા પણ બાળ સ્વરૂપમાં સ્થાપિત કરવામાં આવી છે.ખાસ કરીને બાળકોને ધ્યાનમાં રાખીને આયોજકો દ્વારા આ પ્રકારની થીમ તૈયાર કરવામાં આવી છે.ગણેશ પંડાલ નજીક બાળકો માટે જમ્પિંગ નેટ અને ચકડોળની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જે હાલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે
Read the Next Article

ભરૂચ: ઘર કંકાસમાં પતિએ પત્નીની ગળુ કાપી હત્યા કરી, મૃતદેહને ચાદરમાં લપેટી વાલિયાના કોંઢ ગામ નજીક ફેંકી દીધો

વારંવાર થતાં ઘર કંકાસમાં ઉશ્કેરાઈ જઈ રાજેન્દ્ર શ્રીવાસ્તવે ઘરમાં રહેલ ધારદાર હથિયાર વડે પત્ની રુચિ અવસ્થિનું ગળું કાપી તેની હત્યા કરી નાખી હતી

New Update
  • ભરૂચના વાલિયાના કોઢ ગામ નજીકથી મળ્યો હતો મૃતદેહ

  • મહિલાનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો

  • મહિલાની હત્યા તેના જ પતિએ કરી હોવાનો ખુલાસો

  • ધારદાર હથિયાર વડે ગળું કાપી હત્યા કરાય

  • પોલીસે હત્યારા પતિની કરી ધરપકડ

ભરૂચના વાલીયાના કોંઢ ગામ નજીકથી મળી આવેલ મહિલાના મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે.મહિલાની હત્યા તેના જ પતિએ કરી હોવાનું બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચના વાલીયા તાલુકાના કોંઢ ગામ નજીકથી મહિલાનો ગળું કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.આ અંગેની જાણ થતા જ વાલિયા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બનાવ સંદર્ભે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.આ તપાસમાં ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ હતી ત્યારે પોલીસ સમક્ષ સૌથી મોટો પડકાર મહિલાની ઓળખ કરવાનો હતો જોકે પોલીસે સોશિયલ મીડિયામાં મહિલાનો ફોટો શેર કરી તેની ઓળખ માટેના ચક્રોગતિમાન કર્યા હતા.
જેમાં મૃતક મહિલા અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ શિવકૃપા બંગલોઝમાં રહેતા અને મૂળ લખનઉની  રુચિ અવસ્થિ હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે પોલીસે તપાસ કરતાં ચોકાવનારો ખુલાસો થયો હતો.આ મામલામાં મહિલાની હત્યા તેના જ પતિ રાજેન્દ્ર શ્રીવાસ્તવે કરી હોવાનું બહાર આવ્યુ હતું. રાજેન્દ્ર શ્રીવાસ્તવની પ્રથમ પત્નીનું વર્ષ 2018માં હૃદયરોગના હુમલામાં મૃત્યુ થતાં મેટ્રિમોનીયલ સાઇટ મારફતે વર્ષ 2019માં તેણે રુચિ અવસ્થિ સાથે લગ્ન કર્યા હતા.
જોકે વારંવાર થતાં ઘર કંકાસમાં ઉશ્કેરાઈ જઈ રાજેન્દ્ર શ્રીવાસ્તવે ઘરમાં રહેલ ધારદાર હથિયાર વડે રુચિ અવસ્થિનું ગળું કાપી તેની હત્યા કરી નાખી હતી ત્યારબાદ મૃતદેહને ચાદરમાં લપેટી અંકલેશ્વરથી વાઢીયાના કોંઢ ગામ નજીક આવ્યો હતો અને ત્યાં નાાળામાં મૃતદેહનો નિકાલ કરી ત્યાંથી રવાના થઈ ગયો હત.આ મામલામાં પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેન્સના આધારે આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.