અંકલેશ્વર: 4 કેન્દ્રોનું ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર, સૌથી વધુ GIDC કેન્દ્રનું 92.74% પરિણામ

અંકલેશ્વરના 4 કેન્દ્રોનું ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે જેમાં સૌથી વધુ અંકલેશ્વર જીઆઇડીસી કેન્દ્રનું આવ્યું છે.

New Update
  • ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર

  • અંકલેશ્વરના 4 કેન્દ્રોનું પરિણામ જાહેર

  • સૌથી વધુ અંકલેશ્વર જીઆઇડીસી કેન્દ્રનું પરિણામ

  • વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવાયા

  • આવનારા દિવસોમાં માર્કશીટનું કરાશે વિતરણ

અંકલેશ્વરના 4 કેન્દ્રોનું ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે જેમાં સૌથી વધુ અંકલેશ્વર જીઆઇડીસી કેન્દ્રનું આવ્યું છે.
કારકિર્દીના પ્રથમ પગથિયા સામાન બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર થયા છે ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2025માં લેવામાં આવેલી ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામમાં આ વખતે રેકોર્ડ બ્રેક વધારો થયેલો જોવા મળી રહ્યો છે ત્યારે અંકલેશ્વરના વિવિધ કેન્દ્રોનું પણ પરિણામ જાહેર થયું છે. અંકલેશ્વર એક કેન્દ્રનું પરિણામ 79.55 ટકા,અંકલેશ્વર જીઆઇડીસી કેન્દ્રનું 92.74%,અંકલેશ્વર-2 કેન્દ્રનું 85.11% અને અંકલેશ્વર 3 કેન્દ્રનું 69.34% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તો આ તરફ હાંસોટ કેન્દ્રનું 88.56 ટકા પરિણામ જાહેર થયું છે
અંકલેશ્વરના કુલ 4 કેન્દ્રો પૈકી અંકલેશ્વર જીઆઇડીસી કેન્દ્રનું સૌથી વધુ તો અંકલેશ્વર-3 કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ જાહેર થયું છે.પરિણામ જાહેર થતાં જ કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે.અંકલેશ્વરની સંસ્કારદીપ શાળાનું 100 ટકા પરિણામ આવતા શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવવામાં આવ્યા હતા.
Read the Next Article

ભરૂચ: પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પૂર્વ CM વિજય રૂપાણીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા, શોકસભાનું કરાયુ આયોજન

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ભાજપ દ્વારા શોકસભાનું આયોજન

  • સ્વ.વિજય રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

  • ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • સ્વ.વિજય રૂપાણીના કાર્યોને યાદ કરાયા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 
તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે ભરૂચ શહેરમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શોકસભામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લાના ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી,પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.શોકસભામાં પક્ષના કાર્યકરો તથા વિભિન્ન સમાજના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે સૌએ પ્રાર્થના કરી સ્વ.વિજય રૂપાણીના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.