New Update
-
ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર
-
અંકલેશ્વરના 4 કેન્દ્રોનું પરિણામ જાહેર
-
સૌથી વધુ અંકલેશ્વર જીઆઇડીસી કેન્દ્રનું પરિણામ
-
વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવાયા
-
આવનારા દિવસોમાં માર્કશીટનું કરાશે વિતરણ
અંકલેશ્વરના 4 કેન્દ્રોનું ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે જેમાં સૌથી વધુ અંકલેશ્વર જીઆઇડીસી કેન્દ્રનું આવ્યું છે.
કારકિર્દીના પ્રથમ પગથિયા સામાન બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર થયા છે ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2025માં લેવામાં આવેલી ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામમાં આ વખતે રેકોર્ડ બ્રેક વધારો થયેલો જોવા મળી રહ્યો છે ત્યારે અંકલેશ્વરના વિવિધ કેન્દ્રોનું પણ પરિણામ જાહેર થયું છે. અંકલેશ્વર એક કેન્દ્રનું પરિણામ 79.55 ટકા,અંકલેશ્વર જીઆઇડીસી કેન્દ્રનું 92.74%,અંકલેશ્વર-2 કેન્દ્રનું 85.11% અને અંકલેશ્વર 3 કેન્દ્રનું 69.34% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તો આ તરફ હાંસોટ કેન્દ્રનું 88.56 ટકા પરિણામ જાહેર થયું છે
અંકલેશ્વરના કુલ 4 કેન્દ્રો પૈકી અંકલેશ્વર જીઆઇડીસી કેન્દ્રનું સૌથી વધુ તો અંકલેશ્વર-3 કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ જાહેર થયું છે.પરિણામ જાહેર થતાં જ કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે.અંકલેશ્વરની સંસ્કારદીપ શાળાનું 100 ટકા પરિણામ આવતા શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવવામાં આવ્યા હતા.
Latest Stories