અંકલેશ્વર: ગણેશ મહોત્સવમાં રામસેતુનું કરાયુ નિર્માણ, રામેશ્વરમથી વિશેષ તરતા પથ્થર મંગાવાયા

અંકલેશ્વર શહેરના સરકાર ગ્રુપ દ્વારા રામસેતુની થીમ પર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે આ માટે રામેશ્વરથી વિશેષ તરતા પથ્થર પણ મંગાવવામાં આવ્યા છે.

New Update

અંકલેશ્વર શહેરના સરકાર ગ્રુપ દ્વારા રામસેતુની થીમ પર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે આ માટે રામેશ્વરથી વિશેષ તરતા પથ્થર પણ મંગાવવામાં આવ્યા છે.

ડુંડાળા દેવ વિઘ્નહર્તાની વિવિધ સ્વરૂપોમાં ભક્તો આરાધના કરી રહ્યા છે ત્યારે ગણેશ મહોત્સવમાં અવનવી થીમ પણ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે ત્યારે અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર નવમાં સરકાર ગ્રુપ દ્વારા રામસેતુની થીમ પર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ યુવક મંડળ દ્વારા રામસેતુનું ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યું છે અને  શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરાયું છે. રામસેતુની થીમ માટે યુવક મંડળ દ્વારા રામેશ્વરમથી તરતા પથ્થર પણ મંગાવવામાં આવ્યા છે. ભક્તો પાણી વચ્ચેથી પસાર થઈ શ્રીજીના દર્શન કરે છે. રામસેતુ સહિતના પૌરાણિક સ્થાપત્યો અંગે લોકોને માહિતી મળે તે હેતુથી યુવક મંડળ દ્વારા આ પ્રકારનું ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યું છે.જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે અને દર્શનનો લાભ લઇ રહ્યા છે.
Read the Next Article

ભરૂચ: ઝઘડિયાના સારસા ગામમાં તંત્રએ ન કર્યું તે બાળકોએ કરી બતાવ્યું, રસ્તાના ખાડા જાતે પૂર્યા

ભરૂચના ઝઘડિયા તાલુકાના અંતરિયાળ ગામ સારસામાં એક સરાહનીય ઘટના જોવા મળી છે જ્યાં ગામના નાના બાળકોએ રસ્તાના મસમોટા ખાડા પુરી વાહનચાલકોની સમસ્યા હળવી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. 

New Update
  • ભરૂચના ઝગઘડિયાના સારસાનો બનાવ 

  • બાળકોએ કર્યું સરાહનીય કાર્ય

  • રસ્તા પરના ખાડા જાતે પૂર્યા

  • વાહનચાલકોને મળી રાહત

  • બાળકોની કામગીરી લોકોએ આવકારી

ભરૂચના ઝઘડિયા તાલુકાના અંતરિયાળ ગામ સારસામાં એક સરાહનીય ઘટના જોવા મળી છે જ્યાં ગામના નાના બાળકોએ રસ્તાના મસમોટા ખાડા પુરી વાહનચાલકોની સમસ્યા હળવી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. 
ભરૂચના ઝઘડિયા સારસા ગામ તરફ જતાં મુખ્ય રસ્તા પર ચોમાસાની શરૂઆતથી મસમોટા ખાડા પડેલા હતા.અહીંથી પસાર થતાં વાહનો માટે સતત અકસ્માતનો ભય રહેતો હતો. આ સમસ્યા સામેતંત્રે ધ્યાન ન આપ્યું તો મોટાઓએ માત્ર ટીકાઓ કરી પણ ગામના નાનાં બાળકો આગળ આવ્યા હતા.  શાળા જઈ રહેલા બાળકોના અકસ્માત અટકે એ માટે તેમણે રસ્તાના ખાડા પોતે પૂર્યા હતા. રસ્તાની સફાઈ કરીને માટી અને પથ્થર નાંખી તેમણે ખાડા સમતળ કર્યા હતા. આ પ્રકારની કામગીરી દેશના ભવિષ્યના નાગરિકોની સમજદારી દર્શાવે છે પણ તંત્ર માટે સવાલ ઊભો કરે છે કે જે કામ બાળકો કરી શકે છે તે મોટું તંત્ર કેમ નહીં?