અંકલેશ્વર: ઉકાઈ નહેરમાં જોખમી રસાયણ યુક્ત પ્રવાહી ઠાલવનાર 5 કેમિકલ માફિયાઓના કોર્ટે જામીન કર્યા રદ્દ

ભરૂચ કોર્ટે કંપનીના મેનેજર સહીત 5 લોકોના જામીન રદ્દ કરી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં ક્યુવી લેબોરેટરી કંપનીના બે માલિક સહીત 3 લોકો વોન્ટેડ છે. 

New Update
  • અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક બન્યો હતો બનાવ

  • ઉકાઈ કેનાલમાં ઠલવાયુ હતું જોખમી કેમીકલ

  • પોલીસે 5 આરોપીઓની કરી હતી ધરપકડ

  • સેસન્સ કોર્ટે આરોપીઓના જામીન કર્યા રદ્દ

  • હજુ 3 લોકો છે વોન્ટેડ

અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં કેમિકલ વેસ્ટ ઠાલવવાના મામલામાં ભરૂચ કોર્ટે કંપનીના મેનેજર સહીત 5 લોકોના જામીન રદ્દ કરી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં ક્યુવી લેબોરેટરી કંપનીના બે માલિક સહીત 3 લોકો વોન્ટેડ છે. 
અંકલેશ્વર શહેર અને જીઆઈડીસીના ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારના એક લાખથી વધુ લોકોને પાણી પૂરું પાડતી ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં બાકરોલ નજીક કેમિકલ ઠાલવી દેવાતા હજારો લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થતા નહેરનો પાણી પુરવઠો અટકાવી દઈ 3 દિવસ સુધી અંકલેશ્વર નગર અને જીઆઈડીસીમાં ઇનલેટ વાલ્વ બંધ રખાયો હતો.
ઘટનાની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા ગુજરાત પ્રદુષણ બોર્ડ નિયંત્રણ સાથે પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી. નહેરના પાણીના પૃથ્થકરણ દરમિયાન જોખમી રસાયનનો નિકાલ કરાયો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવતા આ ગુનાહિત કાવતરા સામે કડક તપાસના આદેશ થયા હતા. ગુનામાં સંડોવાયેલા જનરલ મેનેજર કૃપેશ પટેલ,મેનેજર ચિંતન ચૌહાણ, કંપનીના માલિક પ્રવીણ શાહના પુત્ર વેદાંત શાહ અને બે કેમિકલ માફિયાઓની ધરપકડ કરી લોકઅપ ભેગા કરાયા હતા.
આ કેસ કોર્ટમાં ચાલતા એડિશનલ સેસન્સ જજ સમક્ષ સરકારી વકીલ પરેશ પંડયાએ દલીલો કરી હતી. સરકારી પક્ષે જે કેમિકલ નહેરમાં ઠાલવી દેવાયું હતું તેના જોખમને વર્ણવતા રિપોર્ટ સાથે આ ગુનાહિત વ્યકિતઓના ભૂતકાળ વિષે કોર્ટને વાકેફ કરી હતી. કોર્ટે મુખ્ય સરકારી વકીલ પરેશ પંડયાની દલીલોને માન્ય રાખી આરોપીઓના જામીન રદ્દ કર્યા છે.
નોંધનીય છે કે કંપનીના માલિક પ્રવીણ શાહ અને અજિત શાહ પોલીસ ચોપડે ફરાર છે. માલિકવિદેશથી બેઠા બેઠા કેમિકલનો નિકાલ  ક્યાં કેવી રીતે કોના દ્વારા અને ક્યાં સમયે કરવો તેની ઝૂમ મિટિંગ સહિતની ટેક્નોલોજી દ્વારા ગાઇડલાઇન આપતા હોવાની પોલીસને તપાસમાં માહિતી મળી છે. આ ઉપરાંત કેમિકલ વેસ્ટ નિકાલના કૌભાંડમાં સક્રિય અન્ય 3 લોકોની પણ પોલીસ શોધખોળ કરી રહી છે.
Read the Next Article

અંકલેશ્વર : કોસમડી ગામે વીજ તાર તૂટીને પડવાથી બે અબોલ પશુઓના વીજ કરંટથી મોત

અંકલેશ્વરનાકોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

New Update
  • કોસમડીમાં વીજ તાર તૂટીને પડવાનો મામલો

  • બે મહિલાઓ પશુ ચરાવવા માટે ગઈ હતી 

  • સાંજે પરત ફરીથી વેળાએ બની ઘટના

  • ખાડી પાસે વીજ તાર તૂટીને પડ્યો હતો

  • વીજ કરંટ લાગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની ખાડી પાસે વીજ લાઈનનો એક તાર તૂટીને પડ્યો હતો,જેનો કરંટ બે અબોલ પશુઓને લગતા મોતને ભેટ્યા હતા. અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના નવાપરા ફળિયામાં રહેતા જમણા વસાવા અને રેવા વસાવા પોતાની ભેંસોને ચરાવવા માટે ગામની સીમમાં ગયા હતા,ત્યાંથી સાંજના સુમારે પરત ફરતી વેળાએ એક દુર્ઘટના સર્જાય હતી.

જેમાં કોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લાગ્યો હતો,વીજ કરંટના જોરદાર ઝટકાથી એક ભેંસ અને પાડાના મોત નિપજ્યા હતા,ઘટના અંગે જમના વસાવાએ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી. 

 

Latest Stories