અંકલેશ્વર: ઉકાઈ નહેરમાં જોખમી રસાયણ યુક્ત પ્રવાહી ઠાલવનાર 5 કેમિકલ માફિયાઓના કોર્ટે જામીન કર્યા રદ્દ

ભરૂચ કોર્ટે કંપનીના મેનેજર સહીત 5 લોકોના જામીન રદ્દ કરી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં ક્યુવી લેબોરેટરી કંપનીના બે માલિક સહીત 3 લોકો વોન્ટેડ છે. 

New Update
  • અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક બન્યો હતો બનાવ

  • ઉકાઈ કેનાલમાં ઠલવાયુ હતું જોખમી કેમીકલ

  • પોલીસે 5 આરોપીઓની કરી હતી ધરપકડ

  • સેસન્સ કોર્ટે આરોપીઓના જામીન કર્યા રદ્દ

  • હજુ 3 લોકો છે વોન્ટેડ

Advertisment
અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં કેમિકલ વેસ્ટ ઠાલવવાના મામલામાં ભરૂચ કોર્ટે કંપનીના મેનેજર સહીત 5 લોકોના જામીન રદ્દ કરી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં ક્યુવી લેબોરેટરી કંપનીના બે માલિક સહીત 3 લોકો વોન્ટેડ છે. 
અંકલેશ્વર શહેર અને જીઆઈડીસીના ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારના એક લાખથી વધુ લોકોને પાણી પૂરું પાડતી ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં બાકરોલ નજીક કેમિકલ ઠાલવી દેવાતા હજારો લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થતા નહેરનો પાણી પુરવઠો અટકાવી દઈ 3 દિવસ સુધી અંકલેશ્વર નગર અને જીઆઈડીસીમાં ઇનલેટ વાલ્વ બંધ રખાયો હતો.
ઘટનાની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા ગુજરાત પ્રદુષણ બોર્ડ નિયંત્રણ સાથે પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી. નહેરના પાણીના પૃથ્થકરણ દરમિયાન જોખમી રસાયનનો નિકાલ કરાયો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવતા આ ગુનાહિત કાવતરા સામે કડક તપાસના આદેશ થયા હતા. ગુનામાં સંડોવાયેલા જનરલ મેનેજર કૃપેશ પટેલ,મેનેજર ચિંતન ચૌહાણ, કંપનીના માલિક પ્રવીણ શાહના પુત્ર વેદાંત શાહ અને બે કેમિકલ માફિયાઓની ધરપકડ કરી લોકઅપ ભેગા કરાયા હતા.
Advertisment
આ કેસ કોર્ટમાં ચાલતા એડિશનલ સેસન્સ જજ સમક્ષ સરકારી વકીલ પરેશ પંડયાએ દલીલો કરી હતી. સરકારી પક્ષે જે કેમિકલ નહેરમાં ઠાલવી દેવાયું હતું તેના જોખમને વર્ણવતા રિપોર્ટ સાથે આ ગુનાહિત વ્યકિતઓના ભૂતકાળ વિષે કોર્ટને વાકેફ કરી હતી. કોર્ટે મુખ્ય સરકારી વકીલ પરેશ પંડયાની દલીલોને માન્ય રાખી આરોપીઓના જામીન રદ્દ કર્યા છે.
નોંધનીય છે કે કંપનીના માલિક પ્રવીણ શાહ અને અજિત શાહ પોલીસ ચોપડે ફરાર છે. માલિકવિદેશથી બેઠા બેઠા કેમિકલનો નિકાલ  ક્યાં કેવી રીતે કોના દ્વારા અને ક્યાં સમયે કરવો તેની ઝૂમ મિટિંગ સહિતની ટેક્નોલોજી દ્વારા ગાઇડલાઇન આપતા હોવાની પોલીસને તપાસમાં માહિતી મળી છે. આ ઉપરાંત કેમિકલ વેસ્ટ નિકાલના કૌભાંડમાં સક્રિય અન્ય 3 લોકોની પણ પોલીસ શોધખોળ કરી રહી છે.
Advertisment
Read the Next Article

ભરૂચ : સાવરણી વેચીને જીવન ગુજારતા વૃદ્ધ દંપતી તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા, શંકાસ્પદ કોરોના લક્ષણો જોઈ હોસ્પિટલ ખસેડાયા

ભરૂચના મુલદ ચોકડી વિસ્તારમાં લુણાવાડાના મૂળ રહેવાસી અને હાલ સાવરણી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા વૃદ્ધ દંપતી અચાનક તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા હતા.

New Update
ભરૂચ 1222

ભરૂચના  મુલદ ચોકડી વિસ્તારમાં લુણાવાડાના મૂળ રહેવાસી અને હાલ સાવરણી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા વૃદ્ધ દંપતી અચાનક તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા હતા.

Advertisment

આ ઘટના સમયે ત્યાં નજીક રિક્ષા લઈને ઉભેલા શખ્સે માનવતા દેખાડી અને તત્કાલ ભરૂચ 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી.108 ની ટીમ ઘટનાસ્થળે તરત પહોંચી અને દંપતીને પ્રાથમિક સારવાર આપી. આ દરમિયાન તેમનામાં શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણો જોવા મળતાં, સલામતીના પગલાં તરીકે બંનેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હાલ સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા દર્દીઓની વધુ તપાસ અને કોરોના રિપોર્ટ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisment