અંકલેશ્વર કોર્ટે શ્રી રામ ફાઈનાન્સમાંથી લીધેલ વાહન લોનના બાકી હપ્તા પેટે બે આરોપીને સજા ફટકારી

અંકલેશ્વર કોર્ટ દ્વારા શ્રી રામ ફાઇનાન્સ માંથી વાહન લોન લીધા બાદ બાકી હપ્તા ન ભરનાર બે આરોપીઓને સજાનો હુકમ કર્યો હતો.

New Update
ank court

અંકલેશ્વર કોર્ટ દ્વારા શ્રી રામ ફાઇનાન્સ માંથી વાહન લોન લીધા બાદ બાકી હપ્તા ન ભરનાર બે આરોપીઓને સજાનો હુકમ કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી મહેબૂબ અલી ગુલામુદ્દીન સૈયદ દ્વારા શ્રી રામ ફાઇનાન્સ માંથી ઇનોવા કાર માટે લોન લીધી હતી,પરંતુ તેના હપ્તા સમયસર ભર્યા નહોતા,અને તેમને ફાઇનાન્સ કંપનીને રૂપિયા 7 લાખનો ચેક બાકી હપ્તા પેટે આપ્યો હતો,જે ચેક પણ રિટર્ન થયો હતો,જે અંગે ફાઇનાન્સ કંપની દ્વારા અંકલેશ્વરના એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ગૌતમ દરજીની  કોર્ટમાં આરોપી વિરુદ્ધ ચેક રિટર્નની ફરિયાદ કરવામાં આવી હતી,અને ફાઇનાન્સ કંપનીના એડવોકેટ પી.સી.રાજપૂત દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી,તેમની દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપીને સજા ફટકારી હતી,જેમાં આરોપી મહેબૂબ અલી ગુલામુદ્દીન સૈયદને એક વર્ષની સજા અને 30 દિવસમાં રૂપિયા 7 લાખ ચૂકવવાનો કોર્ટે હુકમ કર્યો હતો,અને જો સમયમર્યાદામાં રૂપિયા નહીં ચૂકવે તો વધુ 6 માસની સજાનો હુકમ કોર્ટે કર્યો હતો.  
જયારે બીજી શ્રી રામ ફાઇનાન્સ કંપનીની ફરિયાદમાં આરોપી સરબતસિંઘ કુલદીપસિંહ સૈનીએ શ્રી રામ ફાઇનાન્સ માંથી ટ્રક લેવા માટે લોન લીધી હતી,પરંતુ લોનના હપ્તા સમયસર ચૂકવ્યા નહોતા,તેથી ફાઇનાન્સ કંપની દ્વારા સરબતસિંઘે બાકી લોનના હપ્તા પેટે આપેલો રૂપિયા 4 લાખ 85 હજારનો ચેક બેંકમાં જમા કર્યો હતો,જોકે આ ચેક રિટર્ન થતા આ અંગે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી,જેમાં અંકલેશ્વરના એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ગૌતમ દરજીની કોર્ટમાં એડવોકેટ પી સી રાજપૂતે આરોપી વિરુદ્ધ દલીલો કરી હતી,જેને કોર્ટે મંજૂર રાખીને આરોપી સરબતસિંઘ કુલદીપસિંહ સૈનીને 6 માસની સાદી કેદ તેમજ 30 દિવસમાં રૂપિયા ચૂકવવાનો હુકમ કર્યો હતો. 
Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડ મામલે વડોદરાના સાંસદ હેમાંગ જોશીનું નિવેદન, ભાજપ કોઈ પણ કૌભાંડીઓને છોડતી નથી

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ જવાબ આપ્યા હતા.

New Update

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ

ભરૂચમાં ભાજપ દ્વારા કરાયુ આયોજન

પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયુ

સાંસદ હેમાંગ જોશીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી

વિવિધ પ્રશ્ને આપ્યા જવાબ

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ જવાબ આપ્યા હતા.
નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ કાર્યક્રમો અંતર્ગત ભરૂચમાં રોટરી હોલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષીએ પ્રેસ કોન્ફન્સ સંબોધી હતી.પત્રકાર પરિષદ દરમિયાન નરેન્દ્ર મોદી સરકારના ગયા 11 વર્ષના કાર્યકાળમાં થયેલા વિકાસ કાર્યોની વિગતો રજૂ કરવામાં આવી હતી.આ દરમિયાન પત્રકારો દ્વારા ભરૂચમાં થયેલા મનરેગા કૌભાંડ મુદ્દે સાંસદ ડૉ. હેમાંગ જોશીને પ્રશ્ન કરાતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભાજપ સરકાર કોઈ પણ કૌભાંડીઓ બચાવતી નથી અને આવનારા સમયમાં જે પણ દોષિત જણાશે તેની સામે  સખત  પગલાં લેવાશે.
આ તરફ તાજેતરમાં સાંસદ મનસુખ વસાવા દ્વારા પોતાના પક્ષના નેતાઓ ઉપર સહયોગ ન મળવા બાબતે કરાયેલા નિવેદન અંગે પણ પ્રશ્ન કરાયો હતો. જેના જવાબમાં ડૉ. હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે, "મનસુખભાઈ અમારા આદરણીય વડીલ છે. તેઓ હંમેશા પક્ષની ચિંતા રાખે છે કહી વિવાદ પર ઠંડુ પાણી રેડવાનો તેઓએ પ્રયાસ કર્યો હતો.
પત્રકાર પરિષદમાં ભરૂચ ભાજપના પ્રભારી જનક બગદાણાવાળા, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી નિરલ પટેલ તથા કાર્યક્રમ સંયોજક દિવ્યેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.