અંકલેશ્વર: લગ્નપ્રસંગમાં નાચવા બાબતે યુવાનની છરીમાં ઘા મારી હત્યા કરનાર આરોપીને 10 વર્ષ કેદની સજા ફટકારતી કોર્ટ

અંકલેશ્વર સેશન્સ કોર્ટે ઝઘડિયાના માલજીપૂરા ગામે પાંચ વર્ષ પહેલાં થયેલ હત્યાના આરોપીને 10 વર્ષની કેદની સજા ફટકારતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

New Update
  • ઝઘડિયાના માલજીપુરા ગામે બન્યો હતો બનાવ

  • વર્ષ 2020માં થઈ હતી હત્યા

  • લગ્નમાં નાચવા બાબતે હત્યા થઈ હતી

  • આરોપીને કોર્ટે 10 વર્ષ કેદની સજા ફટકારી

  • છરીના ઘા મારી કરાય હતી હત્યા

અંકલેશ્વર સેશન્સ કોર્ટે ઝઘડિયાના માલજીપૂરા ગામે પાંચ વર્ષ પહેલાં થયેલ હત્યાના આરોપીને 10 વર્ષની કેદની સજા ફટકારતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ગત તારીખ-27મી ફેબ્રુઆરી 2020ના રોજ ઝઘડિયા તાલુકાના માલજીપુરા ગામમાં લગ્ન પ્રસંગે ડી.જે.માં રાકેશ ઠાકોર વસાવા અને તેનો મિત્ર નાચતા હતા તે સમયે નાચવા બાબતે કુંજન વસાવા દ્વારા રાકેશ વસાવાના મિત્રને લાફા ઝીકી  તે વચ્ચે છોડાવવા પડ્યા હતા જે બાદ રાકેશ વસાવા ફળિયામાં નવીન વસાવાના ઘરે ગયો હતો.જ્યાં તે ટીવી જોતો હતો તે દરમિયાન કુંજન વસાવાએ ચપ્પુ વડે રાકેશને છાતીના ભાગે હુમલો કરતા તેનું કરુણ મોત નીપજ્યું હતું.બનાવ અંગે ઝઘડિયા પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી જેલમાં ધકેલી દીધો હતો.આ મર્ડરનો કેસ અંકલેશ્વર સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટમાં સરકારી વકીલ જીગર પંચાલની દલીલોને ગ્રાહ્ય રાખી સેશન્સ જજ એસ.પી.રાહતકરે આરોપી 10 વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.
Latest Stories