અંકલેશ્વર: GIDCના રિઝર્વર તળાવમાં મગરની હાજરી નોંધાતા ફફડાટ, લોકોની અવર-જવર માટે તળાવ બંધ કરાયુ

અંકલેશ્વરમાં નર્મદા નદી અને તેની કનેક્ટેડ નદીઓમાં મગરની હાજરી નોંધાયા બાદ હવે શહેરી વિસ્તારોમાં આવેલા તળાવમાં પણ મગરે દેખા દેતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો

New Update
  • અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલું છે તળાવ

  • જીઆઇડીસીના રિઝર્વર તળાવમાં મગરની હાજરી નોંધાઇ

  • તળાવમાં મગર નજરે પડતા ફફડાટ

  • લોકોની અવર જવર માટે તળાવ બંધ કરાયુ

  • વન વિભાગ દ્વારા પાંજરૂ ગોઠવાયુ

Advertisment W3.CSS
અંકલેશ્વરની વાલીયા ચોકડી નજીક આવેલ જીઆઇડીસીમાં પાણી પૂરું પાડતા રિઝર્વ તળાવમાં મગરની હાજરી નોંધાતા નોટિફાઇડ ઓથોરીટી દ્વારા તાત્કાલિક તળાવને લોકોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે

અંકલેશ્વરમાં નર્મદા નદી અને તેની કનેક્ટેડ નદીઓમાં મગરની હાજરી નોંધાયા બાદ હવે શહેરી વિસ્તારોમાં આવેલા તળાવમાં પણ મગરે દેખા દેતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.અંકલેશ્વર જીઆઇડીસીમાં પાણી પૂરું પાડતા રિઝર્વર તળાવમાં મગર જોવા મળ્યો હતો.

આ તળાવ ફરતે બનાવાયેલા વોકિંગ વે પર રોજ સવાર અને સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો ચાલવા અને એક્સરસાઇઝ કરવા માટે આવે છે ત્યારે સુરક્ષા અને સલામતીના હેતુસર અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા તળાવ લોકોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે. આ અંગેની જાણ વન વિભાગને પણ કરવામાં આવી હતી ત્યારે વન વિભાગ દ્વારા મગરને પકડવા માટે તળાવમાં જાળી અને પાંજરૂ મૂકવામાં આવ્યું છે.

જીઆઇડીસીના રિઝર્વ તળાવમાં ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાંથી પાણી આવે છે પરંતુ પાણીમાં કચરો ન પ્રવેશે તે માટે જાળી મુકવામાં આવી છે ત્યારે તળાવમાં મગર આવ્યો ક્યાંથી એ તપાસનો વિષય છે.આ તરફ નજીકમાં જ આવેલી વરસાદી પાણીની કાંસમાંથી મગર આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Read the Next Article

અંકલેશ્વર : અંદાડા ખાતે સંત નિરંકારી મિશન દ્વારા મહારક્તદાન શિબિર યોજાઈ,70 જેટલા રકતદાતાઓએ કર્યું બ્લડ ડોનેટ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંદાડામાં યોજાઈ મહારક્તદાન શિબિર

  • સંત નિરંકારી મિશન દ્વારા કરાયું આયોજન

  • રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી કરાયું આયોજન

  • 70થી વધુ રક્તદાતાઓએ કર્યું રક્તદાન  

  • સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત કરાય છે આયોજન

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચની રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી સંત નિરંકારી મિશનના સભ્યો દ્વારા 70થી વધુ યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે,અને સંસ્થાના સભ્યો ઉત્સાહભેર રક્તદાન કરે છે.

આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી .જેમાં અંદાડા ગામના સરપંચ નીરૂ પટેલ ,સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ઝોન અંકલેશ્વરના સંયોજક આર પી ગુપ્તા વડોદરાના જ્ઞાનપ્રચારક મહાત્મા ચીમન પરમાર,બબન મહાદિક ,સંત નિરંકારી મિશન અને મંડળના સભ્યો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.