અંકલેશ્વર: GIDCના રિઝર્વર તળાવમાં મગરની હાજરી નોંધાતા ફફડાટ, લોકોની અવર-જવર માટે તળાવ બંધ કરાયુ

અંકલેશ્વરમાં નર્મદા નદી અને તેની કનેક્ટેડ નદીઓમાં મગરની હાજરી નોંધાયા બાદ હવે શહેરી વિસ્તારોમાં આવેલા તળાવમાં પણ મગરે દેખા દેતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો

New Update
  • અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલું છે તળાવ

  • જીઆઇડીસીના રિઝર્વર તળાવમાં મગરની હાજરી નોંધાઇ

  • તળાવમાં મગર નજરે પડતા ફફડાટ

  • લોકોની અવર જવર માટે તળાવ બંધ કરાયુ

  • વન વિભાગ દ્વારા પાંજરૂ ગોઠવાયુ

Advertisment
અંકલેશ્વરની વાલીયા ચોકડી નજીક આવેલ જીઆઇડીસીમાં પાણી પૂરું પાડતા રિઝર્વ તળાવમાં મગરની હાજરી નોંધાતા નોટિફાઇડ ઓથોરીટી દ્વારા તાત્કાલિક તળાવને લોકોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે

અંકલેશ્વરમાં નર્મદા નદી અને તેની કનેક્ટેડ નદીઓમાં મગરની હાજરી નોંધાયા બાદ હવે શહેરી વિસ્તારોમાં આવેલા તળાવમાં પણ મગરે દેખા દેતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.અંકલેશ્વર જીઆઇડીસીમાં પાણી પૂરું પાડતા રિઝર્વર તળાવમાં મગર જોવા મળ્યો હતો.

આ તળાવ ફરતે બનાવાયેલા વોકિંગ વે પર રોજ સવાર અને સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો ચાલવા અને એક્સરસાઇઝ કરવા માટે આવે છે ત્યારે સુરક્ષા અને સલામતીના હેતુસર અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા તળાવ લોકોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે. આ અંગેની જાણ વન વિભાગને પણ કરવામાં આવી હતી ત્યારે વન વિભાગ દ્વારા મગરને પકડવા માટે તળાવમાં જાળી અને પાંજરૂ મૂકવામાં આવ્યું છે.

જીઆઇડીસીના રિઝર્વ તળાવમાં ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાંથી પાણી આવે છે પરંતુ પાણીમાં કચરો ન પ્રવેશે તે માટે જાળી મુકવામાં આવી છે ત્યારે તળાવમાં મગર આવ્યો ક્યાંથી એ તપાસનો વિષય છે.આ તરફ નજીકમાં જ આવેલી વરસાદી પાણીની કાંસમાંથી મગર આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Advertisment
Read the Next Article

અંકલેશ્વર: કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો સામે આવ્યા, રાસાયણિક પાણી ખાડીમાં વહ્યું !

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

New Update
  • અંકલેશ્વરમાં કમોસમી વરસાદ

  • કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો

  • પ્રદુષિત પાણી ઓવરફ્લો થયું

  • લાખો લીટર પાણી ખાડીમાં વહ્યું

  • જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

Advertisment
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું હતું. હજુ ચોમાસુ બેઠું નથી એ પૂર્વે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી પાણી સાથે રાસાયણિક પાણી વિપુલ માત્રામાં વહી ગયું હતું.10 દિવસમાં બીજી વાર પડેલા માવઠામાં પ્રથમ માવઠામાં અમરાવતી નદીમાં માછલાંના મોત થયા હતા અને હવે બીજા માવઠામાં જળ સંપદા અને જમીન સંપદાને વ્યાપક નુકશાન થવાના દ્રશ્યો સામે આવ્યા છે.
ખાસ કરીને સી પમ્પીંગ સ્ટેશન પાસે નોટીફાઈડ વિભાગ દ્વારા બનાવેલ પાળો અને તેની નજીક મુકેલ ગેટ પર ઓવરફ્લો થઇને ઔદ્યોગિક વસાહતનું રાસાયણિક પાણી ખાડીમાં ધોધ સ્વરૂપે વહી રહ્યું હતું.આ અંગે જીવદયા પ્રેમીઓ જીપીસીબીને જાણ કરતા અધિકારીઓએ ત્વરિત અસરથી સ્થળ પર દોડી આવ્યા હતા અને સેમ્પલ લીધા હતા તેમજ નોટીફાઈડ વિભાગના અધિકારીઓ અને ઉદ્યોગ મંડળને પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત પાળો ઉંચો કરવા તાકીદ કરવામાં આવી હતી. 
Advertisment