-
અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલું છે તળાવ
-
જીઆઇડીસીના રિઝર્વર તળાવમાં મગરની હાજરી નોંધાઇ
-
તળાવમાં મગર નજરે પડતા ફફડાટ
-
લોકોની અવર જવર માટે તળાવ બંધ કરાયુ
-
વન વિભાગ દ્વારા પાંજરૂ ગોઠવાયુ
અંકલેશ્વરમાં નર્મદા નદી અને તેની કનેક્ટેડ નદીઓમાં મગરની હાજરી નોંધાયા બાદ હવે શહેરી વિસ્તારોમાં આવેલા તળાવમાં પણ મગરે દેખા દેતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.અંકલેશ્વર જીઆઇડીસીમાં પાણી પૂરું પાડતા રિઝર્વર તળાવમાં મગર જોવા મળ્યો હતો.
આ તળાવ ફરતે બનાવાયેલા વોકિંગ વે પર રોજ સવાર અને સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો ચાલવા અને એક્સરસાઇઝ કરવા માટે આવે છે ત્યારે સુરક્ષા અને સલામતીના હેતુસર અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા તળાવ લોકોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે. આ અંગેની જાણ વન વિભાગને પણ કરવામાં આવી હતી ત્યારે વન વિભાગ દ્વારા મગરને પકડવા માટે તળાવમાં જાળી અને પાંજરૂ મૂકવામાં આવ્યું છે.
જીઆઇડીસીના રિઝર્વ તળાવમાં ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાંથી પાણી આવે છે પરંતુ પાણીમાં કચરો ન પ્રવેશે તે માટે જાળી મુકવામાં આવી છે ત્યારે તળાવમાં મગર આવ્યો ક્યાંથી એ તપાસનો વિષય છે.આ તરફ નજીકમાં જ આવેલી વરસાદી પાણીની કાંસમાંથી મગર આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.