New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/Crocodile-attack.jpg)
અંકલેશ્વર તાલુકાના અમૃતપુરા ગામની અમરાવતી નદીના કિનારેથી મગરનું વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતુ.
cમગર નજરે પડ્યો હતો.ગ્રામજનો દ્વારા આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવી હતી જેના પગલે અંકલેશ્વર વન વિભાગની રેસ્ક્યુટીમ ગામમાં પહોંચી હતી અને ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું. વન વિભાગ દ્વારા મગરના તબીબી પરીક્ષણ બાદ તેને મુક્ત કરી દેવામાં આવશે.નર્મદા નદીના રેતાળ અને માટીવાળા કિનારા મગરો માટે અનુકુળ આશ્રયસ્થાન બની ગયાં છે ત્યારે નર્મદા નદી સાથે જોડાણ ધરાવતી અન્ય નદીઓમાં પણ હવે મગર આવી રહ્યા છે જેના કારણે સ્થાનિકોમમાં ફફડાટ ફેલાયો છે.
Latest Stories