New Update
-
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
-
DGVCL દ્વારા આયોજન કરાયું
-
એનર્જી કન્ઝર્વેશન મંથની ઉજવણી
-
જન જાગૃતિ રેલીનું કરાયુ આયોજન
-
વીજ કંપનીના કર્મચારીઓ જોડાયા
દક્ષિણ ગુજરાત વીજ કંપની અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ ડિવિઝન દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વીજ કંપનીના કર્મચારીઓ જોડાયા હતા
દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ડિસેમ્બર મહિનાને એનર્જી કન્ઝર્વેશન મંથ તરીકે ઉજવવામાં આવે છે સાથે જ સેફટી મંથ તરીકે પણ ઉજવણી કરાય છે ત્યારે અંકલેશ્વર દક્ષિણ ગુજરાત વીજ કંપની ઇન્ડસ્ટ્રીઝ ડિવિઝન દ્વારા આજરોજ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વીજ કંપનીના કર્મચારીઓ જોડાયા હતા.વીજળીનો વપરાશ ઓછો કરી સોલારના ઉપયોગથી થતા ફાયદા લોકોને સમજાવવામાં આવ્યા હતા.સાથે જ વીજ વપરાશ દરમ્યાન રાખવાની સાવચેતી અંગે પણ જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ રેલી અંકલેશ્વર જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં ફરી હતી.
Latest Stories