અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિકાસના કાર્યો
વોર્ડ નંબર 8માં નિર્માણ પામશે ડ્રેનેજ લાઇન
રૂ.34 લાખનો કરવામાં આવશે ખર્ચ
નગરપાલિકા પ્રમુખના હસ્તે ખાતમુર્હુત
વિપક્ષે પણ માન્યો આભાર
અંકલેશ્વર નગર સેવાસદનના વોર્ડ નંબર આઠમાં આવેલ શક્તિનગર અને ઘનશ્યામ નગર સહિતના વિસ્તારોમાં ડ્રેનેજ લાઈનની સમસ્યા હતી.આ અંગે નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવતા નગર સેવા સદન દ્વારા રૂપિયા 34 લાખના ખર્ચે આ વિસ્તારમાં ગટર લાઈનનું નિર્માણ કાર્ય હાથ ધરાનાર છે ત્યારે આજરોજ આ કાર્યનું ખાતર્મુહુત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત,અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ,સ્થાનિક નગરસેવકો, કોંગ્રેસના આગેવાન જહાંગીર પઠાણ અને સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા.આ વિસ્તારમાં ગટર લાઈનનું નિર્માણ થતાં પાણી ભરાઈ રહેવાની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે ત્યારે વિપક્ષના સભ્ય દ્વારા પણ નગર સેવાસદનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.