અંકલેશ્વર : નર્મદા ક્લીન ટેક દ્વારા પાઈપલાઈનની કામગીરી હાથ ધરવામાં આવતા ઉદ્યોગોનું એફ્લુઅન્ટ ડિસ્ચાર્જ બંધ કરાયું

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગોના એફ્લુઅન્ટને ટ્રીટમેન્ટ કરીને દરિયામાં ઠાલવતી નર્મદા ક્લીન ટેક દ્વારા પાઈપલાઈનની કામગીરી હાથ ધરવામાં આવી છે,

New Update
  • NCT દ્વારા પાઈપલાઈનની કામગીરી

  • ઉદ્યોગોનું એફ્લુઅન્ટ ડિસ્ચાર્જ કરાયું બંધ

  • નોટીફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા અપાઈ સૂચના 

  • પમ્પીંગ સ્ટેશનના પાઈપલાઈનની કામગીરી

  • કામગીરીને પગલે ઉદ્યોગોને પડશે નહિવત અસર

  • સાંજ સુધીમાં કામગીરી પૂર્ણ થવાની સંભવના  

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગોના એફ્લુઅન્ટને ટ્રીટમેન્ટ કરીને દરિયામાં ઠાલવતી નર્મદા ક્લીન ટેક દ્વારા પાઈપલાઈનની કામગીરી હાથ ધરવામાં આવી છે,જેના કારણે ઉદ્યોગોમાંથી નીકળતા ગંદા પાણીનું ડિસ્ચાર્જ બંધ કરવાની સૂચના આપવામાં આવી છે.

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની ધબકતી ધોળી નસ સમાન નર્મદા ક્લીન ટેક (NCT) દ્વારા  A,B અને C પમ્પીંગ સ્ટેશનના પાઇપલાઇન કનેક્શનની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે,જેના કારણે નોટીફાઈડ ઓથોરિટી દ્વારા NCTના સભ્ય ઉદ્યોગોને એફ્લુઅન્ટ ડિસ્ચાર્જ ન કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.જોકે મોટા ભાગના ઉદ્યોગો પાસે તેમની સ્ટોરેજ વ્યવસ્થા હોવાના કારણે ઔદ્યોગિક ઉત્પાદન પર નહિવત અસર પહોંચશે તેમ જાણવા મળ્યું છે.NCT દ્વારા ઉદ્યોગમાંથી નીકળ્યા એફ્લુઅન્ટને યોગ્ય ટ્રીટમેન્ટ બાદ કંટીયાજાળ દરિયામાં આ પાણીને ઠાલવવામાં આવે છે.  

હાલમાં NCT દ્વારા પાઈપલાઈનના કનેક્શનની મોટા પ્રમાણમાં કામગીરી હાથ ધરવામાં આવી છે,અને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ થયા બાદ ઉદ્યોગને એફ્લુઅન્ટ ડિસ્ચાર્જ શરૂ કરવા માટે સૂચના આપવામાં આવશે તેમ ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત શેલડિયાએ જણાવ્યું હતું.

Read the Next Article

ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી

New Update
  • નંદેલાવ બ્રિજ પાસે સર્જાયો અકસ્માત

  • બેલગામ કન્ટેનર બ્રિજના પિલરમાં ભટકાયું

  • પિલર બાદ મંગલદીપ સોસાયટીમાં પણ અથડાયું

  • સોસાયટીના મંદિરની દીવાલ તૂટતા નુકસાન

  • જાનહાની ટળતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી.
 
ભરૂચ દહેજ બાયપાસ માર્ગ પર નંદેલાવ પાસે નવા બ્રિજ નીચે ગુરુવારે એક ગંભીર અકસ્માત થયો હતો. હજીરા અદાણીથી કેમિકલ ભરેલું કન્ટેનર દહેજ સ્થિત મેઘમણી કંપનીમાં જઈ રહ્યું હતું. એ દરમિયાન કન્ટેનર ચાલકનો સ્ટિયરિંગ પર નિયંત્રણ ખોરવાતા કન્ટેનર સીધું નવા પિલરને અથડાઈને સીધુ મંગલદીપ સોસાયટીની મંદિરે જોડાયેલી કમ્પાઉન્ડ વોલમાં ટકરાયું હતું.

આ અકસ્માતમાં બ્રિજના પિલર સાથે સાથે મંદિરની દિવાલને પણ ગંભીર નુકસાન થયું હતું. જોકે, ઘટના દરમિયાન કોઈપણ જાતની જાનહાની ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કન્ટેનરનો ચાલક દ્વારા કન્ટેનરને બેલગામ દોડાવવામાં આવી રહ્યું હતું.ઘટનાના પગલે સ્થળ પર તાત્કાલિક ફાયર વિભાગ તથા પોલીસ દોડી આવી હતી. ભારે વજનના કેમિકલ ભરેલા કન્ટેનરને સ્થળ પરથી દૂર કરવા ત્રણ હાઇડ્રાની મદદ લેવાઈ હતી. લાંબા સમય બાદ માર્ગ પર સર્જાયેલો ટ્રાફિક પુનઃ રાબેતા મુજબ થયો હતો.મંગલદીપ સોસાયટીના પ્રમુખ જીતુ  પ્રજાપતિએ જણાવ્યું હતું કે,કન્ટેનર અમારા મંદિરની દીવાલ તોડી ઘૂસી ગયું હતું. સદનસીબે કોઈ વ્યક્તિ ત્યાં નહોતી. પરંતુ આવી ઘટનાઓથી ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઉભી ન થાય એ માટે પગલાં લેવા જરૂરી છે.